Mon,20 May 2024,10:03 pm
Print
header

હિમાંશું વ્યાસે ધારણ કર્યો કેસરિયો, દુબઇમાં રાહુલ ગાંધીની સભા માટે હજારો લોકો કર્યા હતા ભેગા- Gujarat Post News

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોના નામોની જાહેરાત વચ્ચે પક્ષપલટાની મોસમ ચાલી રહી છે, હવે કોંગ્રેસના નેતા હિમાંશું વ્યાસે પંજાનો સાથ છોડીને કેસરિયો ધારણ કર્યો છે, અગાઉ રાહુલ ગાંધીની દુબઇ સભાની જવાબદારી તેમના માથે હતી, તેમને અહીં મોટો કાર્યક્રમ કર્યો હતો, જો કે હવે તેઓ ભાજપમાં ચાલ્યાં ગયા છે. ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ, ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેની હાજરીમાં તેઓએ કેસરિયો ધારણ કર્યો છે. તેઓને ભાજપ ટિકિટ આપશે તેવી ચર્ચાઓ છે. હિમાંશુ વ્યાસ અગાઉ સુરેન્દ્રનગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતા, પરંતુ તેમની હાર થઇ હતી.

હિમાંશુ વ્યાસે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મને આશીર્વાદ આપ્યાં છે. હું સંગઠનનો માણસ છું, હું ચૂંટણી માટેની રાજનીતિ કરવા અહીંયા નથી આવ્યો. મને પક્ષ જે જવાબદારી સોંપશે તે હું નિભાવીશ.  

ttps://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch