ઉત્તર પ્રદેશઃ આગ્રામાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. અહીં જૂતાના ત્રણ વેપારીઓના ઘર પર દરોડા પાડવામાં આવ્યાં હતા, જેમાં બિનહિસાબી સંપત્તિ મળી આવી હતી. અત્યાર સુધીમાં 40 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે, એક જગ્યાએ બાકીની રોકડની ગણતરી ચાલી રહી છે. બેડ ભરેલા રૂપિયા જોઇને આઇટી અધિકારીઓ ચોંકી ગયા હતા.
દરોડા દરમિયાન જૂતાના વેપારીના ઘરેથી ચલણી નોટોનો ઢગલો મળી આવ્યો હતો, જેમાં 500 રૂપિયાની નોટો હતી. હજુ કેટલી રોકડ છે તેની ગણતરી ચાલી રહી છે. આવકવેરા વિભાગે નોટોની ગણતરીની જવાબદારી બેંક અધિકારીઓ અને કર્મચારીઓને સોંપી છે.
અત્યાર સુધીમાં 40 કરોડ રૂપિયાની ગણતરી થઈ ચૂકી છે. જેનો કોઈ હિસાબ વેપારી પાસે નથી. બાકીની રકમની ગણતરી ચાલી રહી છે. નોટોનો જંગી જથ્થો મળી આવતાં ગણતાં ગણતાં અધિકારીઓ અને કર્મચારીઓ થાકી ગયા હતા.
આવકવેરા વિભાગને તેના પર કરચોરી અને અપ્રમાણસર સંપત્તિ હોવાની શંકા હતી. જ્યારે વિભાગને આ અંગેની માહિતી મળી, ત્યારે ટીમે જૂતાના ત્રણ વેપારીઓના ઠેકાણાંઓ પર દરોડા પાડ્યાં હતા.
ઇન્કમટેક્સની ટીમે આગ્રા, લખનઉ અને કાનપુરના વેપારીઓના છ સ્થળોએ કાર્યવાહી કરી હતી. જેમાં એમજી રોડ સ્થિત બીકે શુઝ શોપ અને સૂર્ય નગર ખાતેના ઘરની તલાશી લેવામાં આવી હતી. જૂતાનો વેપાર કરતા મંશુ ફૂટવેર અને બીકે શુઝના માલિકો સગા-સંબંધી છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેમનું બજારમાં મોટું નામ બની ગયું છે. હરમિલાપ ટ્રેડર્સ જૂતાની સામગ્રીનો વેપાર કરે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
હોસ્ટેલમાં ઘૂસીને યુવકે યુવતિને માર્યા છરીના ઘા, ઘટના સીસીટીવીમાં થઇ કેદ- Gujarat Post | 2024-07-27 10:39:29
નિવૃત્ત IAS અધિકારી એસ.કે.નંદાનું નિધન, પુત્રીને મળવા ગયા હતા અમેરિકા- Gujarat Post | 2024-07-27 10:32:52
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ | 2024-07-27 09:06:39
ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય- Gujarat Post | 2024-07-26 21:04:34
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો અત્યારે ખરીદીનો શ્રેષ્ઠ સમય છે કે નહીં ? Gujarat Post | 2024-07-26 14:07:00
આજે હું એવી જગ્યાએથી બોલી રહ્યો છું જ્યાં.. પીએમ મોદીએ કારગિલથી પાકિસ્તાનને આપી આ ચેતવણી | 2024-07-26 13:45:15
કારગિલ વિજય દિવસ પર પીએમ મોદી પહોંચ્યાં લદ્દાખ, કહ્યું આતંકવાદનો ખાત્મો કરી નાખીશું | 2024-07-26 08:45:20