Wed,22 May 2024,6:02 am
Print
header

કેજરીવાલે ઇન્દ્રનીલ રાજ્યગુરુની કાઢી નાખી ઝાટકણી, કહ્યું પાર્ટીમાં હતા ત્યારે કેમ કંઇ બોલ્યાં નહીં ? Gujarat Post News

રાજકોટઃ આપ છોડીને કોંગ્રેસમાં ગયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કરોડો રૂપિયાની હેરાફેરી મામલે આપ અને અરવિંદ કેજરીવાલ પર મોટા આરોપ લગાવીને તેની તપાસની માંગ કરી છે, આરોપ સામે ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે વળતો પ્રહાર કર્યો છે, આક્ષેપો ફગાવતા કહ્યું કે આ મહાશય પાર્ટીમાં હતા ત્યારે કંઇ બોલ્યાં નહીં અને હવે સીએમ પદનો ચહેરો અન્ય કોઇ બન્યું તો પાર્ટી છોડીને ચાલ્યાં ગયા.

કેજરીવાલે કહ્યું કે ઇન્દ્રનીલને સીએમ પદનો ચહેરો બનવું હતુ. પરંતુ અહીં તો ગુજરાતની જનતાએ સીએમ પદનો ચહેરો નક્કિ કર્યો છે, ઇસુદાન ગઢવી અમારા સીએમ પદના ઉમેદવાર છે. બીજી તરફ રાજકોટ એરપોર્ટ પર ઇન્દ્રનીલના સમર્થકોએ અરવિંદ કેજરીવાલના વિરોધમાં જોરદાર સુત્રોચ્ચાર કર્યાં હતા.

કેજરીવાલે આજે ગાંધીધામમાં પણ ભવ્ય રોડ શો કર્યો હતો, મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ રસ્તાઓ પર દેખાયા હતા. આવતીકાલે પણ કેજરીવાલના અનેક કાર્યક્રમો છે.

ttps://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch