Wed,01 May 2024,3:23 pm
Print
header

સુરતનો મોડેલ તાન્યા સિંહ આપઘાત કેસ...ક્રિકેટર અભિષેક શર્માએ પોલીસને કહી આ વાત- Gujarat Post

અભિષેક શર્મા હૈદરાબાદ સનરાઈઝર્સ ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી

મેગા ઓક્શનમાં 6.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો

અભિષેક શર્માની કેપ્ટન્સીમાં ભારતની અંડર 19 ક્રિકેટ ટીમે એશિયા કપ જીત્યો હતો

સુરતઃ શહેરની જાણીતી મોડલ તાન્યાના આપઘાત કેસમાં ક્રિકેટર અભિષેક શર્મા નિવેદન નોંધાવવા વેસુ પોલીસ મથકે પહોચ્યો હતો. જ્યાં પોલીસ દ્વારા આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્માની પાંચ કલાક પૂછપરછ કરાઇ હતી. તાન્યાનાં કોલ ડિટેઈલમાં અભિષેક શર્માએ મેસેજ કર્યો હોવાનો ખુલાસો થયો હતો. જો કે અભિષેકનું કહેવું છે કે છેલ્લા 8 મહિનાથી તાન્યા સાથે તેની વાતચીત નથી થઇ.

અભિષેકને પોલીસે અને સવાલો કર્યાં હતા, જેમાં તે ક્યારથી તાન્યાને જાણતો હતો ? કઈ રીતે મળ્યો ? અને તેમના સંબંધો શું હતા ? આવા અનેક સવાલો અભિષેકને પૂછવામાં આવ્યાં હતા. તાન્યા આપઘાત બાદ અભિષેક સાથે તેના કેટલાક ફોટો વાયરલ થયા બાદ પોલીસે અભિષેકને સમન્સ પાઠવીને બોલાવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે આપઘાત સમયે તે તાન્યા સાથે સંપર્કમાં ન હતો.

મોડલ તાન્યા સિંહ આપઘાત પ્રકરણમાં તપાસ ચાલી રહી છે, અને જે ફોટો સામે આવ્યાં છે અને કેટલીક વિગતો મળી હતી. તેના આધારે અભિષેક શર્માને નિવેદન આપવા માટે વેસુ પોલીસે બોલાવ્યો હતો. નોંધનિય છે કે થોડા દિવસો પહેલા ગળેફાંસો ખાઇને તાન્યા સિંહે આત્મહત્યા કરી હતી.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch