Tue,21 May 2024,7:50 pm
Print
header

બે બાહુબલી વચ્ચે શાબ્દીક યુદ્ધ, રિબડાના અનિરૂદ્ધસિંહે કહ્યું જયરાજસિંહની ગેંગ દલિતો પર કરે છે અત્યાચાર

ગોંડલઃ ભાજપે રિબડાના અનિરૂદ્ધસિંહને ટિકિટ ન આપતા હવે મામલો ગરમાઇ રહ્યો છે, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પત્નીને ટિકિટ મળતા તેઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે, તેમને ગોંડલની ગેંગને ધમકી આપતા કહ્યું હતુ કે તમારા ઠેકાણાં પણ ખોવાઇ જશે, હવે સામે અનિરુદ્ધસિંહે પણ જયરાજસિંહને ચીમકી આપતા કહ્યું છે કે આ ગેંગ દલિતો પર અત્યાચાર કરે છે અને તમારે હવે કોંગ્રેસને વોટ આપવો જોઇએ. તેઓ ભાજપની વિરૂદ્ધમાં થઇ ગયા છે.

જયરાજસિંહના ત્રાસથી છૂટવું હોય તો ભાજપને હરાવોઃ અનિરૂદ્ધસિંહ જાડેજા

દેરડી કુંભાજી ગામમાં બંધારણ બચાવો સંમેલનમાં દલિત આગેવાનો સાથે અનિરૂદ્ધસિંહ જાડેજા હાજર રહ્યાં હતા તેમને કહ્યું કે એક દલિત સમાજના ગોંડલના જેલરને પણ ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યાં છે. દલિતોને માર મારવામાં આવે છે અને આ ત્રાસમાંથી છૂટવું હોય તો ચૂંટણીમાં કોંગ્રેસને મત આપજો, તેઓ આવતીકાલે એક પ્રેસ કોન્ફરન્સ કરવાના છે, જેમાં તેઓ નવા ઘટસ્ફોટ કરી શકે છે. હવે બે બાહુબલી વચ્ચેનું શાબ્દિક યુદ્ધ તેજ બની રહ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch