- લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે તે માટે જનતાને કરી રહ્યા છે જાગૃત
- લોકસભા ચૂંટણીમાં ચોક્કસ મતદાન કરજો
સુરતઃ વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક આપણા દેશ ભારતમાં લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંગાઇ ચુક્યું છે.દેશમાં 7 તબક્કામાં મતદાન થવાનું છે. ત્યારે લોકતંત્રના આ ઉત્સવમાં વધુમાં વધુ મતદાતાઓ ભાગ લે અને લોકશાહીને મજબૂત કરે તે માટે શ્રી બજરંગ સેના દ્વારા મતદારોને જાગૃત કરવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે.
શ્રી બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સમાજસેવક હિતેશ વિશ્વકર્માએ દેશની જનતાને અપીલ કરી છે કે દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. તેઓ સોશિયલ મીડિયા થકી પણ મતદારોને જાગૃત કરી રહ્યાં છે.
હિતેશ વિશ્વકર્માએ જણાવ્યું કે આપના દેશમાં 100 કરોડથી વધુ મતદારો છે. પરંતુ ચૂંટણીમાં અંદાજે 40 ટકા નાગરિકો મતદાન કરતા નથી. આ લોકશાહી માટે સારી બાબત નથી. જો આપણે એક સારો દેશ અને સારી વ્યવસ્થા સ્થાપિત કરવી હશે તો લોકશાહીના આ પર્વમાં ભાગીદારી સુનિશ્ચિત કરવી પડશે. મતદાનના દિવસે દેશના ભાવિ માટે સૌએ મતદાન કરવા આગળ આવવું જોઇએ.
ઉલ્લેખનીય છે કે શ્રી બજરંગ સેનાની સ્થાપના સુરત ખાતે હિન્દુ નેતા અને પ્રખર સમાજસેવક હિતેશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવી છે અને આજે સંગઠનમાં દેશભરમાંથી 90 હજારથી વધુ સભ્યો જોડાયેલા છે. ત્યારે તેમની અપીલ પર તમે પણ ચૂંટણીમાં ચોક્કસથી મતદાન કરજો.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
અમરેલી: કંકુ પગલા કરીને પરત ફરતા પરિવારની મીની બસને નડ્યો અકસ્માત, 2 લોકોનાં મોત | 2024-04-29 21:44:57
પરેશ ધાનાણીએ પોતાને સરદારના અસલી વારસદાર ગણાવ્યાં, કહી આ વાત-Gujarat Post | 2024-04-29 21:41:16
આ ત્રીજું મોટું ઓપરેશન..ગુજરાતના દરિયામાંથી ઝડપાયું બીજું કરોડો રૂપિયાનું 173 કિલો ડ્રગ્સ, બે શખ્સોની કરાઇ ધરપકડ | 2024-04-29 15:10:58
પાટણમાં રાહુલના વિરોધમાં ક્ષત્રિયોએ કાળા વાવટાં દેખાડ્યાં, રાહુલે કહ્યું ભારતમાં લોકતંત્રની મોદી સરકારે હત્યા કરી નાખી | 2024-04-29 14:48:50
ઘણા સમયથી કમલમમાં પણ નથી દેખાતા તેવા ભાજપના પ્રદિપસિંહ વાઘેલા રૂપાલા વિવાદમાં કૂદી પડ્યાં, લખ્યો આ પત્ર- Gujarat Post | 2024-04-28 16:30:24
રાજા-મહારાજાઓને અત્યાચારી કહેનારા રાહુલ ગાંધી સામે રોષ, હવે મોદીએ કહ્યું શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી | 2024-04-28 17:05:00
રૂપાલાની ટિપ્પણીનો વિવાદ વડોદરા પહોંચ્યો, પાદરામાં જશુભાઈ રાઠવાને ક્ષત્રિયોએ ગામમાં પણ ન ઘૂસવા દીધા | 2024-04-28 12:24:30
નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી કરવામાં આવ્યાં સસ્પેન્ડ- Gujarat Post | 2024-04-26 21:39:16
નિલેશ કુંભાણીએ વીડિયો બનાવીને કર્યો પોતાનો બચાવ, પ્રતાપ દૂધાત, કોંગ્રેસને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-04-26 18:22:03
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55
હવે થશે જોવા જેવી ! પ્રતાપ દુધાતે કહ્યું સુરતમાં ગદ્દાર નીલેશ કુંભાણી રહેશે કે પછી હું રહીશ - Gujarat Post | 2024-04-24 17:07:37
રૂ.15 લાખની લાંચની માંગણી, રૂ.5 લાખ લેનારો એએસઆઇનો ભાઇ ACB ની ઝપેટમાં આવી ગયો | 2024-04-23 22:56:25