બેંગ્લુરુઃ ગુજરાતમાં ક્ષત્રિયો પર વિવાદીત ટિપ્પણી મામલે રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે આક્રોશ છે, ભાજપ સામે જોરદાર પ્રદર્શનો થઇ રહ્યાં છે, તેવામાં હવે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ ક્ષત્રિય સમાજને દુખ થાય તેવું નિવેદન આપ્યું છે, રાહુલે કહ્યું કે આપણા રાજા- મહારાજાઓ અત્યાચારી હતી, જેના પર નવો વિવાદ છેડાયો છે. ક્ષત્રિય સમાજ હવે રાહુલ અને કોંગ્રેસ સામે આક્રોશમાં દેખાઇ રહ્યો છે.
બીજી તરફ કર્ણાટકમાં એક રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના શહેઝાદામાં નવાબો કે સુલતાનો વિરુદ્ધ બોલવાની તાકાત નથી, કોંગ્રેસના આ રાજકુમારે ક્ષત્રપતિ શિવાજી મહારાજ જેવા મહાન વ્યક્તિઓનું અપમાન કર્યું છે.
ભારતમાં અત્યાચાર સુલતાનો, નિઝામોએ કર્યો હતો અને ભારતના ભાગલા કરાવનારાઓની ભૂમિકા ભજવનારા નવાબો કોંગ્રેસને યાદ નથી આવતા.
મોદીએ કહ્યું કે કોંગ્રેસને ઔરંગઝેબના અત્યાચારો યાદ નથી, જેમણે આપણાં હજારો મંદિરો તોડ્યાં અને અપવિત્ર કર્યાં. કોંગ્રેસ ઔરંગઝેબના ગુણગાન ગાતી પાર્ટીઓ સાથે ખુશીથી ગઠબંધન કરે છે. આપણા તીર્થસ્થાનોનો નાશ કરનારા, લૂંટનારાઓ અને ગાયોની હત્યા કરનારાઓને આ લોકો ભૂલી ગયા છે.
રાહુલના નિવેદન પર ક્ષત્રિય નેતા પદ્મીની બા વાળાએ રોષ વ્યક્ત કરીને કહ્યું કે તેમને અમારા સમાજની માફી માંગવી જોઇએ, ભાજપના અનેક નેતાઓ પણ હવે રાહુલની ઝાટકણી કાઢી રહ્યાં છે, રાહુલે આ નિવેદન તૃષ્ટીકરણ કરવા માટે ઇરાદાપૂર્વક કર્યાનું રાજકીય નિષ્ણાંતો માની રહ્યાં છે, હવે આ વિવાદ મોટું સ્વરૂપ ધારણ કરે તેવા સંકેત મળી રહ્યાં છે.
#WATCH | Karnataka: Addressing a public rally in Belagavi, PM Narendra Modi says, "... Shehzada of Congress says that the kings of India were atrocious. They snatched the assets of the poor as per their wishes. The Shehzada of Congress has insulted great personalities like… pic.twitter.com/DRLnoi2fsO
— ANI (@ANI) April 28, 2024
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ચૂંટણી સભામાં રાહુલ ગાંધીને લોકોએ પૂછ્યું, તમે લગ્ન ક્યારે કરવાના છો ?....તો મળ્યો આ જવાબ- Gujarat Post | 2024-05-13 18:42:52
અમારું કાશી- અમારા મોદી... વારાણસીમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો, લોકોએ સ્વાગતમાં લગાવ્યાં નારા | 2024-05-13 18:19:20
અમદાવાદને ધૂળની ડમરીઓએ ઘેરી લીધું, અનેક જગ્યાએ થયું માવઠું | 2024-05-13 17:29:42
સી.આર.પાટીલ વિરુદ્ધ સૌરાષ્ટ્રમાં મોરચો તૈયાર થઇ રહ્યો છે ! સંઘાણીના કાર્યક્રમમાં ફળદુએ કહ્યું રાદડિયાએ તો વટ પાડી દીધો | 2024-05-13 13:22:29
નવસારીઃ પરિવાર દરિયા કિનારે પિકનિક મનાવી રહ્યો હતો ત્યારે જ 4 સભ્યો પાણીમાં તણાઇ ગયા, હજુ લાપતા | 2024-05-13 09:08:40
લોકસભા ચૂંટણીઃ આજે ચોથા તબક્કાનું મતદાનઃ પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ, કીર્તિ આઝાદનું ભાવિ થશે ઇવીએમમાં કેદ- Gujarat Post | 2024-05-13 08:33:35
મોદી પરિવારમાં જૂથવાદ વકર્યો, ભરત સૂતરિયાએ કહ્યું નારણ કાછડિયાને મેં ચાર વખત થેન્કયું કહ્યું છે, તેમને ભાજપનું અપમાન કર્યું | 2024-05-12 12:20:00
પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુન સામે નોંધાયો આચાર સંહિતા ભંગનો કેસ- Gujarat Post | 2024-05-12 10:08:06
એક તરફ પહાડ- બીજી તરફ ખીણ, બદ્રીનાથમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ, પોલીસે ભક્તોને રોકવા કરી અપીલ | 2024-05-12 08:15:20
શું ખરેખર અમિત શાહ દેશના નવા વડાપ્રધાન બનશે ? કેજરીવાલના દાવા પર શાહે કરી આ વાત | 2024-05-11 19:30:50
મોદીએ કહ્યું આ વ્યક્તિએ મારા લાખો ભારતીયોનું અપમાન કર્યું, કલાકોમાં જ સૈમ પિત્રોડાના રાજીનામાના અહેવાલ આવ્યાં | 2024-05-08 22:43:20