ઓટાવાઃ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાના કેસમાં નવી માહિતી સામે આવી છે. કેનેડા પોલીસે આ કેસમાં ચોથા શંકાસ્પદની ધરપકડ કરી છે. કેનેડા સ્થિત સીબીસી ન્યૂઝના અહેવાલને ટાંકીને આ માહિતી બહાર આવી છે. નોંધનીય છે કે નિજ્જરની 18 જૂનના રોજ બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુદ્વારાની બહાર હત્યા કરવામાં આવી હતી.
આરોપીની ઓળખ થઈ હતી
આરોપીની ઓળખ 22 વર્ષીય અમનદીપ સિંહ તરીકે થઈ છે. બ્રિટિશ કોલંબિયામાં ઈન્ટિગ્રેટેડ હોમિસાઈડ ઈન્વેસ્ટિગેશન ટીમ (આઈએચઆઈટી) અનુસાર અમનદીપ સિંહ પહેલાથી જ ઓન્ટારિયોમાં પોલીસ કસ્ટડીમાં હતો. IHIT એ પુરાવા એકત્ર કર્યાં છે અને અમનદીપ સિંહ પર ફર્સ્ટ ડિગ્રી મર્ડર અને હત્યાના કાવતરાનો આરોપ લગાવવા માટે પૂરતી માહિતી મેળવી છે.
અમનદીપ સિંહ એક ભારતીય નાગરિક છે જે કેનેડામાં બ્રેમ્પટન, ઓન્ટારિયો, સરે, બ્રિટિશ કોલંબિયા અને એબોટ્સફોર્ડમાં પોતાનો સમય વિતાવે છે. તપાસકર્તાઓએ ચાલી રહેલી તપાસ અને કોર્ટ પ્રક્રિયાઓને ટાંકીને ધરપકડની વધુ વિગતો જાહેર કરી નથી. કેનેડિયન પોલીસે એડમોન્ટનમાં ત્રણ ભારતીય નાગરિકો કરણ બ્રાર, કમલપ્રીત સિંહ અને કરણપ્રીત સિંહની ધરપકડ કર્યાંના દિવસો બાદ આ વાત સામે આવી છે. ત્રણેય સામે હત્યા અને હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે હરદીપ સિંહ નિજ્જરને 2020માં ભારતની નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ આતંકવાદી જાહેર કર્યો હતો. ગયા વર્ષે જૂનમાં સરેમાં ગુરુદ્વારામાંથી બહાર આવતાં જ તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર કેનેડાની ધરતી પર નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, ભારતે આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યાં હતા. વિદેશ મંત્રાલયના જણાવ્યાં અનુસાર કેનેડા આ હત્યા પર પોતાનો દાવો સાબિત કરવા માટે કોઈ પુરાવા રજૂ કરી શક્યું નથી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
હોસ્ટેલમાં ઘૂસીને યુવકે યુવતિને માર્યા છરીના ઘા, ઘટના સીસીટીવીમાં થઇ કેદ- Gujarat Post | 2024-07-27 10:39:29
નિવૃત્ત IAS અધિકારી એસ.કે.નંદાનું નિધન, પુત્રીને મળવા ગયા હતા અમેરિકા- Gujarat Post | 2024-07-27 10:32:52
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ | 2024-07-27 09:06:39
ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય- Gujarat Post | 2024-07-26 21:04:34
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
હવે અમેરિકાની કમાન નવી પેઢીને સોંપવી પડશે, ચૂંટણીમાંથી હટવાની જાહેરાત બાદ પહેલી વખત બોલ્યાં બાઇડેન | 2024-07-25 08:58:06
ન્યૂઝીલેન્ડમાં બાળકો સહિત 2 લાખ લોકોનું અભદ્ર શોષણ થયાના અહેવાલે સનસનાટી મચાવી, PMએ માંગી માફી | 2024-07-24 14:30:08
કેનેડાઃ એડમોન્ટનમાં સ્વામીનારાયણ મંદિરની દિવાલ પર મોદી વિરોધી સૂત્રો લખાયા- Gujarat Post | 2024-07-24 10:37:32
અમેરિકાના સૌથી મોટા સમાચાર, જો બાઇડેન નહીં લડે રાષ્ટ્રપતિની ચૂંટણી, કમલા હોય શકે છે ડેમોક્રેટ ઉમેદવાર ? | 2024-07-22 08:16:19
જો બાઇડનને પણ પાછળ છોડી દીધા.. ટેસ્લાના એલોન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવ્યાં અભિનંદન | 2024-07-20 09:41:27
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો અત્યારે ખરીદીનો શ્રેષ્ઠ સમય છે કે નહીં ? Gujarat Post | 2024-07-26 14:07:00
કારગિલ વિજય દિવસ પર પીએમ મોદી પહોંચ્યાં લદ્દાખ, કહ્યું આતંકવાદનો ખાત્મો કરી નાખીશું | 2024-07-26 08:45:20