Thu,16 May 2024,6:25 pm
Print
header

અમરેલી: કંકુ પગલા કરીને પરત ફરતા પરિવારની મીની બસને નડ્યો અકસ્માત, 2 લોકોનાં મોત

બગસરા: રાજ્યમાં ગમખ્વાર અકસ્માતની વધુ એક (accidents in Gujarat) ઘટના બની છે. ક્યાંકને ક્યાંક અકસ્માતના સમાચાર સામે આવતા રહે છે. અમરેલીમાં (amreli accident) બગસરા-જેતપુર હાઇવે પર મીની બસ (mini bus) પલટી મારી જતાં બે લોકોનાં મોત થઇ ગયા છે.

મળતી વિગત પ્રમાણે, એક પરિવાર વિસાવદર તાલુકાના ઇશ્વરીયા ગામથી અમરેલી કંકુ પગલાં કરવા આવ્યો હતો. અમરેલીથી કંકુ પગલાં કરીને પરત ઇશ્વરીયા ફરતા રસ્તામાં અકસ્માત સર્જાયો હતો. બસમાં અંદાજે 30 જેટલા લોકો સવાર હતા. જે પૈકી ગીતાબેન હરસુખભાઈ રૂડાણી  (ઉ.વર્ષ.60) તથા આરતીબેન હિરેનભાઈ (ઉ.વર્ષ.7)નું મોત થયું છે.

અકસ્માતમાં 15 થી વધુ મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને પ્રથમ બગસરા બાદ જૂનાગઢ અને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. મીની બસ પલટી મારી ગયાની જાણ થતાં જ પોલીસ અને 108 દોડી આવ્યાં હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch