Sat,27 July 2024,10:14 am
Print
header

પોઈચામાં નર્મદા નદીમાં 8 લોકો ડૂબ્યાં, એક યુવકનો બચાવ કરાયો

 નર્મદાઃ પોઈચામાં નર્મદા નદીમાં 8 લોકો ડૂબ્યાં હોવાના સમાચાર સામે આવ્યાં છે. સુરતના 8 પ્રવાસીઓ નર્મદા ફરવા ગયા હતા. ત્યાં નદીમાં ન્હાવા પડતા 3 બાળકો સાથે 8 લોકો નદીમાં ડૂબી ગયા હતા. જેમાં એક યુવકનો બચાવ થયો છે, જ્યારે અન્ય 7 લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.

મૂળ અમરેલી જિલ્લાનાં વતની અને હાલ સુરતમાં રહેતા આ લોકો અહીં ફરવા ગયા હતા. નદીમાં ન્હાવા પડતા અચાનક પાણીનું વહેણ વધતા 8 લોકો તણાયા હતા. અહી હાજર લોકો તેમને બચાવવા પાણીમાં કૂધી ગયા હતા અને એક વ્યક્તિને બચાવી લેવાયો હતો. રાજપીપળા પોલીસ અને ફાયર વિભાગને ઘટનાની જાણ કરાતા સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે.

હાલમાં ટીમો દ્વારા 7 લોકોની નદીમાં શોધખોળ શરૂ કરી દેવામા આવી છે, ત્રણ બાળકો પણ પાણીમાં લાપત્તા બનતા તેમના પરિવારની ચિંતા વધી ગઇ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch