Mon,20 May 2024,11:34 pm
Print
header

ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી શરૂ, CM ભૂપેન્દ્ર પટેલે આપ્યાં આ આદેશ

પડતર કેસોમાં કાર્યવાહી કરવા મહેસૂલ વિભાગે પરિપત્ર જાહેર કર્યો

કેબિનેટ મંત્રીએ 100 દિવસની કામગીરીનું આપ્યું લક્ષ્ય

ગાંધીનગરઃ સીએમ તરીકનો ચાર્જ સંભાળતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકશન મોડમાં આવી ગયા છે. ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવા મોટો નિર્ણય કરાયો છે. મહેસૂલ વિભાગનો ચાર્જ સંભાળતા જ CM ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે. તાકેદારી આયોગના સંદર્ભના કેસોની કાર્યવાહી થશે. તેમજ પડતર કેસોમાં કાર્યવાહી કરવા માટે મહેસૂલ વિભાગે પરિપત્ર કર્યો છે. પડતર કેસની વિગતો કોમ્પ્યુટરાઈઝ કરવા સૂચના આપી છે. જેથી આ નિર્ણયો પછી વચોટિયાઓ અને અધિકારીઓ પર કાબૂ આવી જશે.

મુખ્યમંત્રીએ તમામ કેબિનેટ મંત્રીઓને વિશેષ કામગીરી સોંપી છે, 100 દિવસની કામગીરીનું લક્ષ્ય આપ્યું છે. ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને નવી યોજના અને હાલની યોજનાઓના અમલીકરણ પર ભાર મુકીને વિઝન ડોક્યુમેન્ટ સંદર્ભે જે તે મંત્રીઓના વિભાગમાં કામગીરી શરૂ કરવા આદેશ કર્યાં છે.

નોંધનિય છે કે મહેસૂલ વિભાગનો સૌથી મોટો ભ્રષ્ટાચાર બધાને ખબર છે અને હવે તેની સામે નવી ભાજપની સરકારે નિર્ણયો લેવાના શરૂ કરી દીધા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch