Fri,26 April 2024,11:03 am
Print
header

માતાની જીદથી પરિવાર વિખેરાયો, સુરેન્દ્રનગરમાં માતાએ 9 મહિનાની પુત્રીની હત્યા કરીને પોતે ગળાફાંસો ખાઇ લીધો- Gujarat Post

અલગ રહેવા માટે પતિ અને સાસુ-સસરા સાથે ઘરકંકાસ ચાલતો હતો

પરિવારજનો બાળકીને હોસ્પિટલ લઈ ગયા બાદ માતાએ ગળાફાંસો ખાધો

સુરેન્દ્રનગરઃ થાનના નવાગામમાં માતાએ પોતાની 9 મહિનાની પુત્રીને ઘરમાં સૂતરની દોરીથી લટકાવીને મોતને ઘાટ ઉતારી હતી. પરિવારજનો બાળકીને હોસ્પિટલ લઇ ગયા બાદ માતાએ પોતે ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. લગ્નજીવન બાદ અલગ રહેવા માટે પતિ અને સાસુ-સસરા સાથે ઘરકંકાસ ચાલતો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. માતા અને પુત્રીના મૃતદેહને પીએમ માટે થાનગઢ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

નવાગામમાં ભાવુબેન રાજેશભાઇ ડાભી સાસુ-સસરા, પતિ અને દીકરી નિહારિકા સાથે સંયુક્ત પરિવારમાં રહેતાં હતાં. તેઓ તેમનાં સાસુ-સસરા તથા ભાઇઓથી અલગ રહેવા માગતા હતા, પતિને અવારનવાર સમજાવવા છતાં તેઓ અલગ રહેવા તૈયાર ન હતા. આરોપી માતા ભાવુબેનને લાગી આવતાં તેમના પતિ રાજેશભાઇ દૂધ ભરવા ગયા હતા તે સમયે 9 મહિનાની પુત્રી નિહારિકાને ઘરમાં સૂતરની દોરી સાથે લટકાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પરિવારજનો બાળકીને દવાખાને લઇ ગયા બાદમાં માતાએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે પોલીસે 302ની કલમ લગાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે માતાની એક જીદને કારણે આજે આખો પરિવાર વિખેરાઇ ગયો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch