ગાંધીધામઃ રાજ્યમાં બાબુઓ લાંચના છટકામાં ફસાઇ રહ્યાં છે. નાની રકમ માટે તે પોતાની નોકરી જોખમમાં મુકી રહ્યાં છે. એ.સી.બી. ગાંધીધામને માહિતી મળી હતી કે ગાંધીધામ ખાતે આવેલી સ્ટરલીંગ હોસ્પિટલમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નાગરિક લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે. આ કાર્યવાહી સરકારના નિયમોનુસાર ફ્રી કરવાની હોય છે પરંતુ અહીં લાંચ લેવાય છે.
એ.સી.બીને ખાનગી રાહે હકીકત જાણવા મળી હતી કે સ્ટરલીંગ હોસ્પિટલ ખાતે આ આયુષ્માન કાર્ડ કાઢવાની કાર્યવાહી કરતા ફરજ પરના હર્ષ રાજેશભાઇ ગુર્જર, આયુષ્માન કાર્ડ કાઢી આપનાર ખાનગી કર્મચારી જનતા પાસેથી આયુષ્માન કાર્ડ કાઢી આપવાની અવેજીમાં લાંચ પેટે રૂપિયા 400 થી 500 સુધીની માંગણી કરે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલઃ https://apps.apple.com/in/app/
જેને આધારે વોચ રાખી ડિકોયરનો સહકાર મેળવીને લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિકોય છટકામાં આરોપીએ ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરીને રૂ.500 ગેરકાયદેસરની લાંચની માગણી કરી હતી, જે રકમ ડિકોયર પાસેથી હર્ષ ગુર્જર આયુષ્માન હેલ્પ ડેસ્ક કાઉન્ટર પર સ્વીકારતા એસીબીના હાથે પકડાઇ ગયા હતા.
ડિકોય કરનાર અધિકારીઃ ટી.એચ.પટેલ
પો.ઈન્સ, એસીબી કચ્છ પૂર્વ ગાંઘીઘામ
સુપર વિઝન અધિકારીઃ કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક,
એ.સી.બી. બોર્ડર એકમ, ભૂજ-કચ્છ
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા, ICTએ સંભળાવ્યો ચુકાદો | 2025-11-17 15:47:35
ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની-સંતાનોની કરી હત્યા, લાશ સાથે પથ્થરો બાંધીને દાટી દીધા | 2025-11-17 12:17:07
સાઉદી અરબમાં ઉમરાહ માટે જતી બસને નડ્યો અકસ્માત, 42 ભારતીયોના મોત, ટોલ ફ્રી નંબર જાહેર કરાયો | 2025-11-17 11:47:24
ACB ટ્રેપમાં ફસાયા UGVCL ના જુનિયર એન્જિનિયર, રૂપિયા 50 હજારની લાંચ લીધી હતી | 2025-11-17 09:46:36
આ ઘટના ખતરનાક છે, ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીની પત્ની અને બે સંતાનોની લાશો દાટેલી હાલતમાં મળી | 2025-11-16 19:44:45
રાજકોટમાં 8-9 જાન્યુઆરી 2026ના રોજ બીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાશે | 2025-11-16 11:45:16
જનતાને કહ્યું એક બહુરૂપીયાને જૂતાનો હાર પહેરાવજો, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના મધુ શ્રીવાસ્તવ પર પ્રહાર | 2025-11-16 11:41:51
6 લોકોનાં મોત, જોધપુર-બાલેસર નેશનલ હાઇવે પર ગુજરાતનાં શ્રદ્ધાળુઓનો ટેમ્પો ટ્રક સાથે અથડાયો | 2025-11-16 11:49:11
અંકલેશ્વરમાં મૌલવીએ સુગંધી પાણી પીવડાવી મહિલા પર દુષ્કર્મ આચર્યું; ધર્માંતરણ માટે ધમકી | 2025-11-14 18:43:29