Tue,30 April 2024,3:04 am
Print
header

અંબાણી પરિવારની નાની વહુએ બાળક પર વરસાવ્યો પ્રેમ, કહ્યું- એકદમ કૃષ્ણ જેવો લાગે છે !

જામનગરઃ દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પરિવારમાં આયોજિત દરેક કાર્યક્રમની ખૂબ ચર્ચાઓ થાય છે. અંબાણી પરિવાર આ ફંક્શનનો ભાગ બને છે. હવે મુકેશ અંબાણી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારી કરી રહ્યાં છે. તેઓ આ વર્ષે લગ્ન કરશે. આ પહેલા ઘણા ફંક્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, આ કાર્યક્રમો લગ્નના ઘણા દિવસો પહેલા શરૂ થઈ ગયા છે. અંબાણી પરિવારમાં દરેક શુભ કાર્ય પહેલા ભોજન પીરસવાનો રિવાજ હોય છે. જામનગરમાં યોજાનાર ભવ્ય લગ્ન અને પ્રિ-વેડિંગ ફંકશન પૂર્વે આ ભોજન સમારંભનું આયોજન કરાયું છે.

રાધિકા મર્ચન્ટને એક નાના બાળક પર પ્રેમ વરસાવ્યો

અન્ન સેવા કાર્યક્રમમાં મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લોકોને પોતાના હાથે ભોજન પીરસતા જોવા મળ્યાં હતા. દરમિયાન તેમને લોકો સાથે વાત પણ કરી હતી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ખૂબ જ નમ્રતાથી લોકોને ભોજન પીરસતા હતા, દરમિયાન અંબાણી પરિવારની ભાવિ પુત્રવધૂએ એક નાનકડાં બાળકને તેની માતાના ખોળામાં બેઠેલું જોયું. બાળકને જોયા બાદ રાધિકા મર્ચન્ટે તેની સાથે વાત કરી અને કહ્યું કે 'જય શ્રી કૃષ્ણ ! વાહ, એકદમ કૃષ્ણ જેવો લાગે છે. આ જ વીડિયોમાં અનંત એક બાળકને પણ કહે છે કે બાબુ, આ લે. મુકેશ અંબાણી લોકોને શુભેચ્છા પાઠવતા ભોજન પણ પીરસે છે.

લોકગીતનું પણ આયોજન કરવામાં આવ્યું

મુકેશ અંબાણી, અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ અને અંબાણી પરિવારના અન્ય સભ્યોએ જામનગરમાં રિલાયન્સ ટાઉનશિપ નજીક જોગવડ ગામમાં ગ્રામજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું હતું. રાધિકાના દાદી અને માતા-પિતા વિરેન અને શૈલા મર્ચન્ટે પણ અન્ન સેવામાં ભાગ લીધો હતો. લગભગ 51 હજાર સ્થાનિક લોકોને ભોજન પીરસવામાં આવશે, જે આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહેશે. અંબાણી પરિવાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાની ઉજવણી માટે સ્થાનિક લોકોના આશીર્વાદ લે છે. ભોજન બાદ ઉપસ્થિત લોકોએ પરંપરાગત લોકસંગીતનો આનંદ માણ્યો હતો. જાણીતા ગુજરાતી ગાયક કીર્તિદાન ગઢવીએ પોતાની ગાયકીથી લોકોનું મનોરંજન કર્યું હતું.

સગાઈ 2022માં કરી હતી

અનંત અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીના સૌથી નાના પુત્ર છે. રાધિકા એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટ અને ઉદ્યોગસાહસિક શૈલા મર્ચન્ટની નાની દીકરી છે. અનંત અને રાધિકા બાળપણના મિત્રો છે. તેઓએ ડિસેમ્બર 2022 માં રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં આયોજિત પરંપરાગત રોકા સમારોહમાં સગાઈ કરી હતી.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch