ઇરાને ભારતની વાત તરત જ માની લીધી
ભારતીયોને મુક્ત કરવાની કવાયત શરૂ
નવી દિલ્હી: ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારત કાર્ગો જહાજ 'MSC Aries' ના 17 ભારતીય ક્રૂ સભ્યોની સલામતી અને વહેલી મુક્તિ સુનિશ્ચિત કરવા માટે ઈરાન સાથે સતત સંપર્કમાં છે. ઈરાને કહ્યું છે કે ભારતીય પ્રતિનિધિઓને ટૂંક સમયમાં 'MSC Aries'ના ભારતીય ક્રૂ મેમ્બર્સને મળવાની મંજૂરી આપવામાં આવશે. ઈરાને આ ખાતરી ત્યારે આપી જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકર ઈરાનના સમકક્ષ અમીર અબ્દુલ્લાહિયન સાથે વાત કરી રહ્યાં હતા.
આ વાતચીત દરમિયાન જયશંકરે ઈરાન દ્વારા અટકાયતમાં લેવાયેલા MSC Aries જહાજમાં 17 ભારતીયોનો મુદ્દો ઉઠાવ્યો હતો. શનિવારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક ઈરાની સૈન્યએ ઈઝરાયેલના ઉદ્યોગપતિની આંશિક માલિકીની કંપનીનું કાર્ગો જહાજ કબ્જે કર્યું હતું, જેમાં 17 ભારતીય નાગરિકો હતા, જેઓ તેમને મુક્ત કરવા ઈરાનના સંપર્કમાં છે.
ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે વિદેશ પ્રધાન જયશંકરે રવિવારે વાત કરી હતી. વિદેશ પ્રધાન જયશંકરે જણાવ્યું હતું કે તેમણે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા કબ્જે કરાયેલા ઇઝરાયેલના કાર્ગો જહાજમાં હાજર 17 ભારતીય ક્રૂ સભ્યોને મુક્ત કરવા અમીર અબ્દુલ્લાહિયન સાથે પણ વાત કરી હતી.
વિદેશ મંત્રીએ ટ્વિટર પર લખ્યું, આજે સાંજે (રવિવારે સાંજે) ઈરાનના વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાહિયન સાથે વાત કરી અને MSC Aries ના 17 ભારતીય ક્રૂ મેમ્બરની મુક્તિનો મુદ્દો ઉઠાવ્યો હતો. યુદ્ધની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. વધતા તણાવને ટાળવા અને શાંતિ બનાવી રાખવા અપીલ કરી હતી.
વાતચીત પછી ઈરાનના વિદેશ પ્રધાન અમીર અબ્દુલ્લાહિયાએ કહ્યું કે તેઓ અટકાયતમાં લેવાયેલા જહાજ સાથે સંબંધિત વિગતો પર નજર રાખી રહ્યાં છે, ટૂંક સમયમાં જ જપ્ત કરાયેલા જહાજના ક્રૂ સાથે ભારત સરકારના પ્રતિનિધિઓની બેઠક કરશે.
ભારતે તેમના નાગરિકોની સલામતી અને વહેલા મુક્તિ સુનિશ્ચિત કરવા માટે રાજદ્વારી માધ્યમો દ્વારા તેહરાન અને નવી દિલ્હી બંનેમાં ઈરાની અધિકારીઓ સાથે આ મુદ્દો ઉઠાવ્યો છે. 12 દિવસ પહેલા સીરિયામાં ઈરાની વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલાના જવાબમાં ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યો છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
જુઓ વીડિયો, બિહારમાં ગૃહમંત્રી અમિત શાહનું હેલિકોપ્ટર થોડી વાર માટે ડગમગી ગયું | 2024-04-29 22:14:06
અમરેલી: કંકુ પગલા કરીને પરત ફરતા પરિવારની મીની બસને નડ્યો અકસ્માત, 2 લોકોનાં મોત | 2024-04-29 21:44:57
પરેશ ધાનાણીએ પોતાને સરદારના અસલી વારસદાર ગણાવ્યાં, કહી આ વાત-Gujarat Post | 2024-04-29 21:41:16
કેનેડામાં ભારત વિરોધી ગતિવિધીઓ તેજ, જેવા ટુડ્રો ભાષણ માટે આવ્યાં તેવા જ લાગ્યા ખાલિસ્તાન જિંદાબાદના નારા | 2024-04-29 15:56:49
આ ત્રીજું મોટું ઓપરેશન..ગુજરાતના દરિયામાંથી ઝડપાયું બીજું કરોડો રૂપિયાનું 173 કિલો ડ્રગ્સ, બે શખ્સોની કરાઇ ધરપકડ | 2024-04-29 15:10:58
ચીનમાં આવ્યો ભયંકર તોફાની ટોર્નેડો, અનેક ઈમારતો ધરાશાયી, અત્યાર સુધીમાં 5 લોકોનાં મોત | 2024-04-28 08:53:22
કારનો કૂચ્ચો બોલાઇ ગયો... અમેરિકામાં આણંદની ત્રણ મહિલાઓનાં કાર અકસ્માતમાં થયા મોત | 2024-04-27 18:16:32
પાકિસ્તાનની આર્થિક સ્થિતી ભયંકર રીતે બગડી...વેપારી સંગઠનોએ કહ્યું ભારત સાથે સંબંધો સુધારવા જરૂરી | 2024-04-25 17:14:32
મલેશિયામાં નેવીના બે હેલિકોપ્ટર હવામાં જ અથડાયા, 10 લોકોનાં મોત થઇ ગયા | 2024-04-23 10:37:09
પ્રસંગમાંથી પરત આવતાં પરિવારને કાળ ભરખી ગયો, અકસ્માતમાં 9 લોકોનાં મોત, 23 ઘાયલ- Gujarat Post | 2024-04-29 08:25:23
રાજા-મહારાજાઓને અત્યાચારી કહેનારા રાહુલ ગાંધી સામે રોષ, હવે મોદીએ કહ્યું શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી | 2024-04-28 17:05:00
મહાદેવ બેટિંગ એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની મુંબઈ એસઆઈટીએ છત્તીસગઢથી ધરપકડ કરી | 2024-04-28 12:18:58
Fact Check: પાકિસ્તાન ઝિંદાબાદનો નારો લગાવનારી યુવતીને રાહુલ ગાંધી નથી મળ્યાં ગળે, વાયરલ દાવો ખોટો છે | 2024-04-26 10:47:16