મુંબઈઃ લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર અને અવિભાજિત શિવસેનાના પ્રથમ મુખ્યમંત્રી મનોહર જોશીનું શુક્રવારે મુંબઈની એક હોસ્પિટલમાં અવસાન થયું છે. મનોહર જોશી 86 વર્ષના હતા અને લાંબા સમયથી હોસ્પિટલમાં દાખલ હતા. શુક્રવારે હૃદયરોગના હુમલાને કારણે તેમનું નિધન થયું હતું. મનોહર જોશીના નિધન પર પીએમ મોદીએ શોક વ્યક્ત કરતું ટ્વિટ કર્યું છે.મનોહર જોશી શિવસેનાના સ્થાપક બાળા સાહેબ ઠાકરેના નજીક હતા. શિવસેનાની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે, મનોહર જોશીએ થોડા વર્ષો પહેલા ઉદ્ધવ ઠાકરેની જાહેરમાં ટીકા કરી હતી, ત્યારબાદ તેઓ શિવસેનાના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયા હતા.
તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં 2002 થી 2004 સુધી લોકસભાના સ્પીકર હતા. મનોહર જોશીએ વર્ષ 1967 માં શિક્ષક તરીકે તેમની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ 1968-70 સુધી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર હતા. બાદમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પણ હતા.મનોહર જોશી 1976-77 દરમિયાન મુંબઈના મેયર હતા.1972માં મહારાષ્ટ્ર લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય તરીકે ચૂંટાયા હતા અને ત્રણ ટર્મ સુધી સભ્ય રહ્યાં હતા. વર્ષ 1990માં, મનોહર જોશી મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા અને આ સમયગાળા દરમિયાન તેઓ વિરોધ પક્ષના નેતા પણ હતા.
મનોહર જોશી 1999માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં મુંબઈની ઉત્તર-મધ્ય લોકસભા બેઠક પરથી ચૂંટાઈને સંસદમાં પહોંચ્યાં હતા અને બાદમાં કેન્દ્રીય મંત્રી તરીકે કામ કર્યું હતુ. મનોહર જોશીના નિધન પર શ્રદ્ધાંજલિ આપતા કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ કહ્યું કે મનોહર જોશીના નિધનથી મહારાષ્ટ્રના રાજકારણનો 'સંસ્કારી ચહેરો' જતો રહ્યો છે. નીતિન ગડકરીએ મનોહર જોશીની સરકારમાં મંત્રી તરીકે કામ કર્યું હતું. તેમના અંતિમ સંસ્કાર દાદર વિસ્તારમાં શિવાજી પાર્ક સ્મશાનગૃહમાં કરવામાં આવશે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
જુઓ વીડિયો, બિહારમાં ગૃહમંત્રી અમિત શાહનું હેલિકોપ્ટર થોડી વાર માટે ડગમગી ગયું | 2024-04-29 22:14:06
અમરેલી: કંકુ પગલા કરીને પરત ફરતા પરિવારની મીની બસને નડ્યો અકસ્માત, 2 લોકોનાં મોત | 2024-04-29 21:44:57
પરેશ ધાનાણીએ પોતાને સરદારના અસલી વારસદાર ગણાવ્યાં, કહી આ વાત-Gujarat Post | 2024-04-29 21:41:16
કેનેડામાં ભારત વિરોધી ગતિવિધીઓ તેજ, જેવા ટુડ્રો ભાષણ માટે આવ્યાં તેવા જ લાગ્યા ખાલિસ્તાન જિંદાબાદના નારા | 2024-04-29 15:56:49
આ ત્રીજું મોટું ઓપરેશન..ગુજરાતના દરિયામાંથી ઝડપાયું બીજું કરોડો રૂપિયાનું 173 કિલો ડ્રગ્સ, બે શખ્સોની કરાઇ ધરપકડ | 2024-04-29 15:10:58
પાટણમાં રાહુલના વિરોધમાં ક્ષત્રિયોએ કાળા વાવટાં દેખાડ્યાં, રાહુલે કહ્યું ભારતમાં લોકતંત્રની મોદી સરકારે હત્યા કરી નાખી | 2024-04-29 14:48:50
રાજા-મહારાજાઓને અત્યાચારી કહેનારા રાહુલ ગાંધી સામે રોષ, હવે મોદીએ કહ્યું શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી | 2024-04-28 17:05:00
ઘણા સમયથી કમલમમાં પણ નથી દેખાતા તેવા ભાજપના પ્રદિપસિંહ વાઘેલા રૂપાલા વિવાદમાં કૂદી પડ્યાં, લખ્યો આ પત્ર- Gujarat Post | 2024-04-28 16:30:24
પ્રસંગમાંથી પરત આવતાં પરિવારને કાળ ભરખી ગયો, અકસ્માતમાં 9 લોકોનાં મોત, 23 ઘાયલ- Gujarat Post | 2024-04-29 08:25:23
મહાદેવ બેટિંગ એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની મુંબઈ એસઆઈટીએ છત્તીસગઢથી ધરપકડ કરી | 2024-04-28 12:18:58
Fact Check: પાકિસ્તાન ઝિંદાબાદનો નારો લગાવનારી યુવતીને રાહુલ ગાંધી નથી મળ્યાં ગળે, વાયરલ દાવો ખોટો છે | 2024-04-26 10:47:16