Fri,26 April 2024,8:43 pm
Print
header

બાલાસિનોરમાં ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત- Gujarat Post

ટ્રક ચાલક સ્થળ પર ટ્રક મૂકીને ફરાર થઇ ગયો

ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં

બાલાસિનોરઃ એક ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થઇ ગયા છે. બાલાસિનોર બસ સ્ટેશન પાસે અકસ્માતની ઘટના બની છે. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક પર સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે.બસ સ્ટેશન આગળના રોડ પરથી પસાર થતી એક માલવાહક ટ્રક અને બાઈકનો અકસ્માત સર્જાયો હતો. ટ્રક નીચે બાઇક આવી જતાં બાઇક સવાર પતિ-પત્ની અને તેમના એક ત્રણ વર્ષના બાળકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. હાલમાં બાલાસિનોર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે.પ્રાથમિક માહિતી અનુસાર પરિવાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના થેડકા ગામનો વતની હોવાનું સામે આવ્યું છે. તેઓ અમદાવાદ તરફ મજૂરી કામ અર્થે જઈ રહ્યાં હતા. ટ્રક ચાલક સ્થળ પર ટ્રક મૂકીને ફરાર થઇ ગયો છે.  બાલાસિનોર પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર બનાવ અંગેની તપાસ હાથ ધરી છે. ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બાલાસિનોરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch