Tue,30 April 2024,4:15 am
Print
header

પંજાબના સીએમ ભગવંત માન ગુજરાત પ્રવાસે, આજે સાંજે ભાવનગરમાં કરશે સભા- Gujarat Post

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી લઈને આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અમદાવાદ પહોચ્યાં છે.આજે મંગળવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ભાવનગર ખાતે રોડ શો કરશે. ભાવનગર આપના ઉમેદવાર ઉમેશ મકવાણા ઉમેદવારી પત્ર ભરશે તે સમયે પણ તેઓ ઉપસ્થિત રહેશે.

વડોદરા ખાતે તેઓ રાત્રિ રોકાણ કરશે. 17 તારીખે રોડ શો યોજીને આપના ઉમેદવાર ચૈતર વસાવાનો ચૂંટણી પ્રચાર કરશે. ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમીને ગુજરાતમાં બે બેઠકો મળી છે. ભાવનગર અને ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીએ લોકસભાની બેઠકમાં ઉમેદવાર ઉતાર્યા છે.

ગુજરાત આવેલા ભગવંત માને કહ્યું, બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યો છું. દેશમાં જ્યાં અમારા ઉમેદવાર છે,ત્યાં પ્રચાર માટે જઈશું. ગુજરાતમાં પ્રેમ મળ્યો એટલે અમારો પક્ષ રાષ્ટ્રીય પક્ષ બન્યો.

જેલમાં કેજરીવાલને મળવા નથી દેતા પરતું દેશમાં લાખો કેજરીવાલ પેદા થશે. સોનિયા ગાંધી જ્યારે ચિદમ્બરમને મળતાં હતા, ત્યારે જેલના અંગત રૂમમાં મીટિંગ થતી હતી. પ્રકાશસિંહ બાદલ દુષ્યંત ચૌટાલા મળતા હતા ત્યારે અંગત રૂમમાં જેલર મીટીંગ કરાવતા હતા. અમારા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સાથે મોદી સરકાર અન્યાય કરી રહી છે અને તેમને ખોટી રીતે ઇડીએ જેલમાં નાખી દીધા છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch