Thu,02 May 2024,4:44 am
Print
header

Big News- ખેરાલુમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા પર પથ્થરમારો, અસામાજિક તત્વો સામે રોષ

32 લોકો સામે પોલીસે દાખલ કર્યો ગુનો

મહેસાણાઃ દેશભરમાં રામ મંદિરને લઇને લોકોમાં ઉત્સાહનો માહોલ છે, કલાકોમાં જ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે આ શુભ પ્રસંગ પહેલા કેટલાક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે, મહેસાણાના ખેરાલુમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરાયો છે, કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરાઇ રહ્યો છે, તેનો વીડિયો પણ સામે આવ્યો છે.

પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને 10 રાઉન્ડ ટિયરગેસના સેલ છોડવામાં આવ્યાં છે. બેલીમવાસ વિસ્તારમાં જ્યારે યાત્રા પસાર થઇ રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો.

મસ્જિદ નજીક ડી.જે.સાથે રથયાત્રા નીકળી ત્યારે થયો પથ્થરમારો

શોભાયાત્રામાં મોટી સંખ્યામાં હાજર હતા રામભક્તો

પોલીસે સ્થિતી પર કાબૂ મેળવી લીધો છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે, યાત્રા પર પથ્થરમારો થતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરાઇ છે. પથ્થરમારો કરનારાઓમાં કેટલીક મહિલાઓ પણ સામેલ છે, જે વીડિયોમાં દેખાઇ રહી છે, ત્યારે રામમંદિરના ઉત્સવ પહેલા આ બનાવને લઇને લોકોમાં રોષ વ્યાપી ગયો છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch