Thu,02 May 2024,7:11 am
Print
header

આ સ્વામીજીએ તો વધારે આગ લગાવવાનું કામ કર્યું..! કહ્યું ગગનના તારાઓ જેટલા શત્રુઓ ભેગા થઇ થાય...તો પણ...

સાળંગપુરઃ ભગવાન હનુમાનજીને ઘનશ્યામ મહારાજના દાસ બતાવવામાં આવતા શરૂ થયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો, સનાનત ધર્મના અનેક સંતો હવે સાળંગપુર મંદિરમાં આવેલા ભીંતચિત્રો હટાવવા મેદાનમાં છે, એક સાધુએ તો બંદૂક બતાવીને ચીમકી આપી છે, સાધુઓનું એક જૂથ આક્રમક આંદોલનના મૂડમાં છે, તો હવે વડોદરા ગુરુકુળના સ્વામીએ ચીમકી આપતા કહ્યું કે અમને છંછેડવાનું બંધ કરી દેજો. તેમના આ નિવેદન બાદ વિવાદ વધી શકે છે.

સનાતન ધર્મના સંતોને ખુલ્લી ચીમકી આપવામાં આવી

સ્વામી દર્શનવલ્લભના નિવેદન બાદ વિવાદ વધુ વધી શકે છે

આકાશમાં જેટલા તારા છે એટલા દુશ્મનો થઇ જાય તો પણ અમારા સ્વામીનારાયણ ભગવાન જ સર્વોપરી છે. આ લોકો ચલમ પીને પોતાને સનાતની કહેતા હોય તો અમે છાતી કાઢીને તિલક કરીએ છીએ, ચોટલી રાખીએ છીએ.જેથી અમે જ પહેલા સનાતન છીએ, હવે અમને ધમકીઓ આપવાનું બંધ કરી દેજો.

સાળંગપુરના ભીંતચિત્રો હટાવવા મામલે હજુ સુધી ટ્રસ્ટે કોઇ નિર્ણય કર્યો નથી. જેથી સાધુઓ વધારે ગુસ્સે ભરાયા છે, બે જૂથો હવે આમને સામને આવ્યાં છે, ભગવાન હનુમાનજીના અપમાનનો વિવાદ આગની જેમ આગળ વધી રહ્યો છે, આ મુદ્દાનો શાંતિથી ઉકેલ લાવવાની જગ્યાએ કેટલાક સંતો ગમે તેમ નિવેદનબાજી કરી રહ્યાં છે, જે ખતરનાક સાબિત થઇ શકે તેમ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch