Fri,26 April 2024,8:05 am
Print
header

આત્મ વિવાહની વાતો કરનાર ક્ષમાબિંદુના લગ્ન કરવાની પંડિતજીએ પાડી દીધી ના, હવે ટેપ પર મંત્ર વગાડીને કરશે વિધિ- Gujarat Post

વડોદરાઃ પોતાની સાથે જ લગ્નની જાહેરાત કરીને ચર્ચામાં આવેલી ક્ષમા બિંદુની મુશ્કેલીઓ વધી રહી છે. એક વર્ગ તેમના નિર્ણયને મહિલાઓની સ્વતંત્રતા સાથે જોડીને જોઈ રહ્યો છે, કેટલાક લોકોએ તેને હિન્દુત્વની વિરુદ્ધ ગણાવ્યો છે.કદાચ આ જ કારણ છે કે અગાઉ લગ્ન કરાવવા માટે તૈયાર થયેલા પંડિતજી હવે પાછળ હટી ગયા છે.પૂજારી કહે છે કે તે આ લગ્ન કરાવી શકશે નહીં. ક્ષમા બિંદુએ કહ્યું, 'પંડિતજી જેમણે પહેલા આ લગ્ન કરાવવાની વાત કરી હતી, તે હવે તેમાંથી પીછેહઠ કરી છે. હવે હું ટેપ પર મંત્ર જાપ કરીને લગ્નની વિધિઓ પૂરી કરીશ.

એકવાર હું પરંપરાગત રીતે લગ્ન કરી લઈશ, ત્યારપછી હું તેનું કાયદેસર રીતે નોંધણી પણ કરાવીશ.આ પંજીકરણ અન્ય યુગલ જેવો જ હશે.ભારતમાં આવા લગ્નો અંગે કોઈ કાયદો નથી તે બાબતે તેને કહ્યું કે હા એ વાત સાચી છે કે ભારતમાં આ અંગે કોઈ કાયદો નથી, પરંતુ એટલું જ સાચું છે કે આવા લગ્ન ગેરકાયદસર પણ નથી.તેથી હું નોંધણી માટે અરજી કરીશ અને મારા લગ્ન માન્ય રહેશે.

ક્ષમા બિંદુએ સોલોગામી હેઠળ 11 જૂને લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. વ્યક્તિ પોતાની જાત સાથે લગ્ન કરે છે ત્યારે સોલોગામી લગ્ન કહેવામાં આવે છે.1993માં અમેરિકામાં આવો પહેલો કિસ્સો નોંધાયો હતો, પરંતુ ભારતમાં ક્ષમા બિંદુના લગ્ન કદાચ ભારતમાં આવો પહેલો કિસ્સો છે. ક્ષમા બિંદુએ કરેલી જાહેરાતને લઈને પણ વિવાદ ઉભો થયો છે. ભાજપની મહિલા નેતાએ કહ્યું હતું કે આવા લગ્ન હિન્દુત્વની વિરુદ્ધ છે, તે ક્ષમા બિંદુને મંદિરમાં લગ્ન કરવા દેશે નહીં.તેનો વિરોધ કરવામાં આવશે. આ પર ક્ષમા કહે છે કે હું મંદિરમાં લગ્ન નહીં કરું. હું કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતી નથી. તેથી મેં લગ્નનું સ્થળ બદલવાનું નક્કી કર્યું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch