ખેડાઃ મિથાઈલ આલ્કોહોલ યુક્ત કફ સીરપ પીવાથી 5 લોકોનાં મોત થતા તંત્ર દોડતું થયું છે. જેમાં બિલોદરા ગામમાં આ આયુર્વેદ કફ સિરપ વેચનાર કિશોર સોઢાની અટકાયત કરીને પોલીસ દ્રારા પૂછપરછ કરવામાં આવી રહી છે.
ખેડા પોલીસ, અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 5 લોકોનાં મોતની તપાસ કરવામાં આવી રહી છે.આ ઘટનામાં સંડોવાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર, કિશોર નામનો વ્યક્તિ આયુર્વેદિક દવા (કફ સિરપ) વેચતો હતો.
કિશોરે 50 થી 55 લોકોને આ દવા વેચી હતી. આ દવા કફ સિરપ અથવા ટોનિક જેવી છે. દવા પીધા બાદ આ લોકોનાં મોત થયા છે. કિશોરે દવા કોની પાસેથી મેળવી તે અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે. બિલોદરા ગામના ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. જેમાં અશોકભાઇ, નટુભાઇ અને અર્જુનભાઇનો સમાવેશ થાય છે.
ખેડાના એસપી રાજેશ ગઢિયાએ જણાવ્યુ કે, નડિયાદના બિલોદરા અને મહુધાના બગડુ ગામમાં કેટલાક લોકોના મોત નીપજ્યાં છે. આ અંગેની માહિતી મળતા તાત્કાલિક પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન માહિતી મળી હતી કે, મિતેષ ચૌહાણ બગડું ગામમાં એક પ્રસંગમાં ગયા હતા. જ્યાં જમીને તેઓ સૂતા હતા. બાદમાં તેમને છાતીમાં દુખાવો થતા તેમને મહેમદાવાદ હોસ્પિટલ લઇ જતી વખથે તેમનું મોત થયું હતુ. તેમની અંતિમ વિધિમાં તેમના જીજાજી અલ્પેશ સોઢાને પણ છાતીમાં દુખાવો થયો હતો. જેથી તેમને ત્યાંની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમનું પણ સારવાર દરમિયાન મોત થયું હતુ. પરિવારજનોના જણાવ્યાં પ્રમાણે તેઓ કેન્સરથી પીડાતા હતા. પરંતુ આ સિરપ પીધા બાદ તેમનું મોત થઇ ગયું છે.
નોંધનિય છે કે ખેડા LCBએ બિલોદરાના વેપારી કિશોર સોઢા, કિશોરના ભાઈ અને નડિયાદના યોગેશ સિંધીની અટકાયત કરી છે. કિશોર સોઢા ઉર્ફે કિશન ભાજપનો નેતા છે, તે નડિયાદ તાલુકા કોષાધ્યક્ષની જવાબદારી ધરાવે છે અને તેને જ પોતના કિરણા સ્ટોરમાંથી આ સિરપ વેચી હતી.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
હાર્ટએટેકથી ત્રણ જિંદગીઓ ગઇ...સુરતમાં વધુ ત્રણ લોકોનાં અચાનક બેભાન થયાં બાદ મોત-Gujarat Post | 2024-05-14 09:53:39
PM મોદી આજે વારાણસીથી ભરશે ઉમેદવારી પત્ર, ગંગા કિનારે કરી પૂજા અર્ચના- Gujarat Post | 2024-05-14 09:18:34
મોતનું હોડિંગ...મુંબઈમાં વાવાઝોડામાં હોર્ડિંગ પડી જવાથી 14 લોકોનાં મોત અને 74 ઘાયલ, રૂ.5 લાખ વળતરની જાહેરાત | 2024-05-14 08:30:01
બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન, કેન્સરની ચાલતી હતી સારવાર- Gujarat Post | 2024-05-14 08:14:46
ચૂંટણી સભામાં રાહુલ ગાંધીને લોકોએ પૂછ્યું, તમે લગ્ન ક્યારે કરવાના છો ?....તો મળ્યો આ જવાબ- Gujarat Post | 2024-05-13 18:42:52
અમદાવાદને ધૂળની ડમરીઓએ ઘેરી લીધું, અનેક જગ્યાએ થયું માવઠું | 2024-05-13 17:29:42
સી.આર.પાટીલ વિરુદ્ધ સૌરાષ્ટ્રમાં મોરચો તૈયાર થઇ રહ્યો છે ! સંઘાણીના કાર્યક્રમમાં ફળદુએ કહ્યું રાદડિયાએ તો વટ પાડી દીધો | 2024-05-13 13:22:29
નવસારીઃ પરિવાર દરિયા કિનારે પિકનિક મનાવી રહ્યો હતો ત્યારે જ 4 સભ્યો પાણીમાં તણાઇ ગયા, હજુ લાપતા | 2024-05-13 09:08:40
મકાન વેચવાના બહાને દલાલે વિધવા સાથે આચર્યું દુષ્કર્મ, અચાનક દીકરી-જમાઈએ આવી દરવાજો ખખડાવ્યો ને પછી.. | 2024-05-13 08:42:32
ઇન્ડોનેશિયામાં પૂરે મચાવી તબાહી, સુમાત્રા ટાપુમાં ઠંડો લાવા ઘાતક બન્યો, 37 લોકોનાં મોત થયા | 2024-05-13 08:55:05
પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુન સામે નોંધાયો આચાર સંહિતા ભંગનો કેસ- Gujarat Post | 2024-05-12 10:08:06
ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જર હત્યા કેસઃ કેનેડા પોલીસે ચોથા ભારતીય સંદિગ્ધની કરી ધરપકડ | 2024-05-12 08:32:28
મોદી પરિવારમાં જૂથવાદ વકર્યો, ભરત સૂતરિયાએ કહ્યું નારણ કાછડિયાને મેં ચાર વખત થેન્કયું કહ્યું છે, તેમને ભાજપનું અપમાન કર્યું | 2024-05-12 12:20:00
રાજ્યમાં આજથી માવઠાની આગાહી, 5 દિવસ બાદ ફરી ગરમી વધશેઃ હવામાન વિભાગ- Gujarat Post | 2024-05-12 10:06:44
ધોરણ- 10નું 82.56 ટકા પરિણામ, પોરબંદર જિલ્લાનું સૌથી ઓછું રિઝલ્ટ- Gujarat Post | 2024-05-11 09:46:33
ભાજપમાં ભડકો, હવે માણવદર વિધાનસભા પેટાચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા સામે કાર્યવાહીની કરી માંગ | 2024-05-10 20:47:30