(ગુણાતીત ચરણ સ્વામીની સંદિગ્ધ આત્મહત્યા મુદ્દે નિવેદન નોંધવાતા સંતો)
વડોદરાઃ સોખડા હરિધામ મંદિરના સ્વામી ગુણાતીત ચરણજીની કથિત આત્મહત્યા મુદ્દે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એસપી રોહન આનંદ સમક્ષ મંદિરના બે સંતો, સેક્રેટરી હાજર થયા હતા, તાલુકા પોલીસે ત્રણેયને નોટિસ પાઠવીને જવાબ આપવા પોલીસ સ્ટેશન બોલાવ્યાં હતા. એસપી રોહન આનંદે ખુદ ત્યાગવલ્લભ સ્વામી, પ્રભુપ્રિય સ્વામી અને સેક્રેટરી જયંત દવેના નિવેદન લીધા છે. એસપીએ સંતોને પૂછ્યું કે આત્મહત્યાની જાણ કેમ પોલીસને ન કરી ? આત્મહત્યાની કયા કારણોસર પોલીસને જાણ કરવામાં આવેલી ન હતી ?
આ સવાલનો સંતો અને સેક્રેટરીએ જવાબ આપ્યો હતો કે સ્વામીના પરિજનોએ આત્મહત્યા જાહેર ન કરવા વિનંતી કરતાં પોલીસને જાણ કરી ન હતી. ગુણાતીત સ્વામી ઘણા સમયથી બીમાર અને ડિપ્રેશનમાં હોવાની માહિતી પોલીસને આપી હતી. જિલ્લા પોલીસ વડાએ આગળની વધુ તપાસ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર કરજણને સોંપી છે.
હરિધામમાં રહેતા 69 વર્ષીય ગુણાતીત ચરણ સ્વામીએ ફાંસો ખાઇને આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. હરિધામના વહિવટદારો આપઘાતની ઘટના પોલીસથી છુપાવીને અંતિમક્રિયાની તૈયારી કરી રહ્યાં હતા. ત્યારે જ પોલીસ પહોંચી ગઇ હતી, મૃતદેહનો કબ્જો લઇને એસએસજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો જ્યાં મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાતા ગળા ફાંસો ખાઇને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી, હવે પક્ષનું કર્જ ચૂકવો, ભાજપના ક્ષત્રિય નેતાઓને હાઈકમાન્ડનો આદેશ | 2024-04-26 10:39:46
Lok Sabha Elections 2024: બીજા તબક્કા માટે આજે મતદાન, રાહુલ ગાંધી, હેમા માલિનીનીનું ભાવિ થશે નક્કિ | 2024-04-26 08:42:46
ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં IPS અધિકારીઓને મળી નવી જવાબદારી, આ રહ્યું આખું લિસ્ટ | 2024-04-25 19:41:51
પાકિસ્તાનની આર્થિક સ્થિતી ભયંકર રીતે બગડી...વેપારી સંગઠનોએ કહ્યું ભારત સાથે સંબંધો સુધારવા જરૂરી | 2024-04-25 17:14:32
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કન્નૌજથી નોંધાવી ઉમેદવારી- Gujarat Post | 2024-04-25 09:56:21
હવે ગૃહમંત્રાલયનો નકલી અધિકારી ઝડપાયો, પોલીસે એન્જિનિયરની કરી ધરપકડ | 2024-04-25 09:27:03
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55
ગુજરાતની આ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવારે પાર્ટી છોડી દીધી, તેમના પત્નીનું પણ રાજીનામું- Gujarat Post | 2024-04-24 21:51:35
વડોદરા લોકસભા વિવાદ, વિરોધ બાદ ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની ના પાડી | 2024-03-23 10:59:10
પહેલા ખુલ્લો વિરોધ, હવે ગુમનામ પોસ્ટર્સ, વડોદરામાં ભાજપના ઉમેદવાર રંજનબેન સામે વધી રહ્યો છે આક્રોશ | 2024-03-21 09:25:08
પ્રેમનો કરુણ અંજામ, હાલોલના રામેશરા ગામ પાસે કેનાલમાંથી સગીર પ્રેમી પંખીડાના મૃતદેહ મળ્યાં- Gujarat Post | 2024-03-20 11:01:31
ભાજપમાં પણ વિવાદો તો છે જ....ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપીને પાછું ખેંચી લીધું | 2024-03-19 10:52:53
વડોદરામાં ગટરના પાણીના વહેણમાંથી મહિલાની લાશ મળતાં ચકચાર- Gujarat Post | 2024-03-16 11:33:43