Fri,26 April 2024,9:36 am
Print
header

આ દિગ્ગજ નેતાએ રાજકોટમાં રાહુલ ગાંધીની માંગી માફી, આ છે કારણ- Gujarat Post News

રાજકોટઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષોએ ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો છે. સોમવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સુરત અને રાજકોટમાં જનસભાઓ સંબોધી હતી. દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે મોરબીમાં થયેલા પુલ અકસ્માત અંગે સવાલો ઉઠાવ્યાં હતા. રાજકોટમાં ફરી આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં જોડાયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પાર્ટી છોડવા બદલ રાહુલ ગાંધીની માફી માગી હતી. તેઓ પાછા હવે આપમાંથી કોંગ્રેસમાં આવી ગયા છે. 

ઇન્દ્રનીલ થોડા સમય પહેલા જ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પરંતુ તેઓ ફરી કોંગ્રેસમાં જોડાયા છે. ઇન્દ્રનીલે કહ્યું, હું ભટકી ગયો હતો. પરંતુ હવે મે મારી ભૂલ સુધારી લીધી છે. ઇન્દ્રનીલ ગુજરાતના સૌથી ધનિક ઉમેદવારોમાંના એક છે. તેઓ હવે કોગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યાં છે. 

તેમને અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ કટ્ટર રાષ્ટ્રવાદી નહીં પરંતુ કટ્ટર રાષ્ટ્રવિરોધી છે. મેં જોયું કે તેઓ ભાજપની બી-ટીમ તરીકે કેવી રીતે કામ કરી રહ્યાં છે. મેં તે સ્વીકાર્યું નહીં.સભામાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતના સૌથી અમીર લોકોનું દેવું માફ કરવામાં આવે છે. પરંતુ યુવાનો પૂછે છે કે અમારી લોન કેમ માફ કરવામાં આવતી નથી. ખેડૂત લોન ચૂકવવામાં અસમર્થ હોય છે, ત્યારે તેને ડિફોલ્ટર કહેવામાં આવે છે અને આ મોદી સરકાર બે-ત્રણ ઉદ્યોગપતિઓને જ સાચવીને બેેઠી છે. 

રાહુલ ગાંધીએ હું મોરબી બ્રિજ અકસ્માતને હું નહીં ભૂલું. આ અકસ્માત માટે જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જનતા આ લોકોને ક્યારેય માફ નહીં કરે, તેમને ભાજપ અને મોદી પર પ્રહાર કર્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch