Sat,27 April 2024,5:17 am
Print
header

પાલનપુરમાં મોદી, કહ્યું આ ચૂંટણી આગામી 25 વર્ષ માટે ગુજરાતનું ભવિષ્ય કરશે નક્કી- Gujarat Post News

બનાસકાંઠાઃ પીએમ નરેન્દ્ર મોદીએ પાલનપુરમાં જનસભાને સંબોધન કરતા કહ્યું કે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ ધારાસભ્યો અથવા સરકારને ચૂંટવા માટે નથી, પરંતુ આગામી 25 વર્ષ માટે આપણા ગુજરાતનું ભાવિ નક્કી કરવા માટે છે. કેન્દ્ર અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની સરકારોએ રાજ્યમાં વિકાસના ઘણા કામો કર્યાં છે, પરંતુ હવે મોટી છલાંગ મારવાનો સમય આવી ગયો છે. 

182 સભ્યોની ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 1 ડિસેમ્બરે અને બીજો તબક્કો 5 ડિસેમ્બરે યોજાશે. બનાસકાંઠા જિલ્લામાં 5 ડિસેમ્બરે બીજા તબક્કામાં મતદાન છે. "આ ચૂંટણીમાં કોણ ધારાસભ્ય બનશે અને કોની સરકાર બનશે તેના માટે નથી. આ ચૂંટણી આગામી 25 વર્ષ માટે ગુજરાતનું ભવિષ્ય નક્કી કરશે. મોદી ગુજરાતને વિકસિત દેશોની શ્રેણીમાં મૂકવા પ્રયાસો કરી રહ્યાં છે. મજબૂત સરકાર બનાવવા માટે મને તમારા સમર્થનની જરૂર છે. તમારે મને તમારી સમસ્યાઓ કહેવાની જરૂર નથી, કારણ કે હું અહીં મોટો થયો છું અને મુદ્દાઓને સારી રીતે સમજી શકું છું.

બનાસકાંઠા જિલ્લાની તમામ બેઠકો પર ભાજપનો વિજય થાય તે માટે હું આપ સૌને અપીલ કરું છું. ગુજરાત સરકારે બનાસકાંઠા અને આસપાસના વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રવાસન, પર્યાવરણ, પાણી અને પશુપાલન તેમજ પોષણ સંબંધિત પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ખૂબ જ ટૂંકા ગાળામાં અમે પાણી અને વીજળીની તંગી દૂર કરી છે. 20 થી 25 વર્ષની વયના આજના યુવાનોને ખબર નહીં હોય કે થોડા દાયકાઓ પહેલા અહીં સ્થિતી કેવી હતી.તેમને આડકતરી રીતે કોંગ્રેસની ઝાટકણી કાઢી નાખી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch