અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચે 17 વર્ષ બાદ હત્યાનો ગુનો ઉકેલીને આરોપીની ધરપકડ કરી છે. હત્યા અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે.પોલીસે જણાવ્યું છે કે વર્ષો પહેલા એક ભિક્ષુકની હત્યા કરવામાં આવી હતી. વીમાના 80 લાખ રૂપિયા મેળવવા માટે આ હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેને કોર્ટમાં રજૂ કર્યાં બાદ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કર્યો હતો કે એક વ્યક્તિનું 17 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશના આગ્રામાં રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હોવાની વાત હતી, આ કેસમાં ઈન્સ્યોરન્સ ક્લેમ કરીને 80 લાખ રૂપિયાનો વીમો લેવાયો હતો. ભિક્ષુકની હત્યા કર્યાં પછી અકસ્માતનું બહાનું કરીને અનિલ સિંહ નામના યુવકે તેના નામે વીમો પાસ કરાવ્યો હતો, જે હજુ જીવિત છે.
વીમાના પૈસા માટે ભિક્ષુકને સળગાવી દેવામાં આવ્યો
વર્ષ 2004માં આરોપી અનિલ સિંહે તેના પરિવાર સાથે મળીને એલઆઈસી પાસેથી વીમાના પૈસા લેવાનો પ્લાન બનાવ્યો હતો. વર્ષ 2006માં પોતાને મૃત દેખાડવા માટે તેણે આગ્રામાં એક ભિક્ષુકની કારમાં સળગાવીને હત્યા કરી નાખી હતી. આ પછી તેને ઈન્સ્યોરન્સમાંથી 80 લાખ રૂપિયા મળ્યાં હતા. ત્યારબાદ ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના રહેવાસી અનિલ સિંહ પોતાનું નામ બદલીને રાજકુમાર ચૌધરી બનીને અમદાવાદમાં રહેતો હતો. તેમજ પિતાનું નામ વિજયપાલને બદલે વિજયકુમાર રાખ્યું હતું.
ભિક્ષુકને ભોજન કરાવવાના બહાને કારમાં બેસાડવામાં આવ્યો હતો
વીમાના પૈસા મેળવવા માટે અનિલ સિંહ 2006માં તેના પિતા વિજયપાલ સિંહ અને ભાઈ અભય સિંહ, સંબંધીઓ મહિપાલ ગડરિયા અને રાકેશ ખટીક સાથે આગ્રા પહોંચ્યાં હતા. આગ્રા ટોલટેક્સ પાસે એક ભિક્ષુકને ખોરાક ખવડાવવાનું બહાનું બનાવીને તેની કારમાં લઈ ગયો હતો. ત્યારબાદ તેને ખાવામાં ઊંઘની ગોળી આપીને બેભાન કર્યો હતો. તેઓએ ભિક્ષુકને કારની ડ્રાઇવિંગ સીટ પર બેસાડ્યો હતો અને તેને આગ લગાવી દીધી હતી. પછી આરોપીએ પોતાને અકસ્માતમાં મૃત દેખાડ્યો હતો.
પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધો
પોલીસનાં જણાવ્યાં અનુસાર આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. અનિલ સિંહે અમદાવાદમાં બધાને કહ્યું હતું કે તેનું નામ રાજકુમાર છે. અહીં ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા દસ્તાવેજો પણ બનાવટી નામોથી બનાવવામાં આવ્યાં હતા. પોલીસે બનાવટી દસ્તાવેજોનો કેસ નોંધ્યો છે. આગ્રા પોલીસનો સંપર્ક કર્યો છે. આગ્રા પોલીસ હવે હત્યાનો આ કેસ નોંધશે. વીમાના નાણાંની ઉચાપત કરવાનો પ્લાન અનિલ સિંહે તેના પિતા અને ભાઈ સાથે મળીને બનાવ્યો હતો.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55
રાજ્યમાં માવઠા વચ્ચે વીજળીનો પણ કહેર, 6 વર્ષની બાળકી સહિત 17થી વધુ લોકોનાં મોત | 2023-11-27 08:07:05
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બરફની ચાદર છવાઈ, લોકોએ પરિવાર સાથે પડાવ્યાં ફોટો | 2023-11-26 10:07:53
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અયોધ્યામાં રામ લલ્લાના કર્યા દર્શન- Gujarat Post | 2023-11-25 17:13:27
હમ કિસી સે કમ નહીં....વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફાઇટર પ્લેન તેજસમાં ઉડાન ભરીને કહી આ વાત | 2023-11-25 13:03:37
અમદાવાદ સહિત રાજ્યભરમાં માવઠું, કેટલીક જગ્યાએ કરા પડ્યાં, લગ્ન પ્રસંગોમાં વરસાદ બન્યો વિલન | 2023-11-26 09:57:31
આ કેસ બન્યો ચર્ચાનો વિષય....વિદેશી યુવતીએ ફાર્મા કંપનીના સીએમડી પર લગાવ્યો બળાત્કારનો આરોપ | 2023-11-24 08:42:56
ISISના મોટા આતંકી ષડયંત્રનો ઘટસ્ફોટ...અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક મોટા શહેરો હતા નિશાના પર | 2023-11-23 14:38:37
ગુજરાત પોલીસમાંથી 6,400 TRB જવાનોને છૂટા કરવાનો નિર્ણય હાલ પુરતો મોકૂફ | 2023-11-23 09:09:02
અમદાવાદ પોલીસનો તોડકાંડઃ 3 પોલીસકર્મીઓ, 7 ટીઆરબી સસ્પેન્ડ, વેપારી ફરિયાદ નોંધાવશે તો અપહરણ-ખંડણીનો ગુનો નોંધાશે- Gujarat Post | 2023-11-22 15:36:08