Fri,26 April 2024,9:19 pm
Print
header

આ ગામના તળાવમાં 5 બાળકો ડૂબી ગયા, પરિવારોમાં છવાયો માતમ- Gujarat Post

પ્રતિકાત્મક ફોટો 

5 બાળકોના મોતથી હડકંપ 

પરિવારજનો પર તૂટી પડ્યું આભ 

સુરેન્દ્રનગરઃ ન્હાવા ગયેલા બાળકો તળાવમાં ડૂબી જતા 5 બાળકોનાં મોત થઇ ગયા છે. મેથાણ અને સરવાળ ગામ વચ્ચે આવેલા તળાવમાં આ દુર્ઘટના બની છે. બનાવની જાણ થતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓ અહીં પહોંચ્યાં હતા, બાળકોના મૃતદેહ જોઇને પરિવારજનોમાં માતમ છવાઇ ગયો છે.

પ્રાથમિક માહિતી મુજબ આ બાળકો રમતા રમતા તળાવમાં ન્હાવા પડ્યાં હતા અને તળાવનું પાણી ઉંડુ હોવાથી તેઓ તેમાં ડૂબી ગયા હતા અને તેમનું મોત થઇ ગયું હતુ. તમામ બાળકોની ઉંમર 8 વર્ષની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે. આ બાળકો આદિવાસી સમાજના હોવાનું જાણવા મળ્યું છે, રેસક્યું ટીમે બાળકોના મૃતદેહોને બહાર કાઢ્યાં છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch