Fri,26 April 2024,6:51 am
Print
header

કોંગ્રેસના નેતાઓ અને નરેશ પટેલ વચ્ચેની બેઠકનો ફિયાસ્કો, માત્ર 10 મીનિટમાં બેઠક પૂર્ણ- Gujarat post

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ હજુ નિર્ણય નથી લઇ શકતા 

છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલની કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો ચાલી રહી છે

રાજકોટઃ કોંગ્રેસના ટોચના નેતાઓની નરેશ પટેલના ફાર્મ હાઉસ ખાતે બેઠક યોજાઇ હતી.કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા સહિતના કોંગ્રેસના નેતાઓ બેઠકમાં હાજર રહ્યાં હતા. બેઠકમાં પરેશ ધાનાણી, લલિત વસોયા, લલિત કગથરા હાજર હતા.જો કે  બેઠક માત્ર 10 મિનિટ જેટલા સમયમાં જ પૂર્ણ થઇ જતા તેનો ફિયાસ્કો થયો કહી શકાય.

આ બેઠક મામલે પરેશ ધાનાણીએ જણાવ્યું કે કોંગ્રેસમાં સારા લોકો આવે એટલે બેઠક કરી છે. તેમને હાર્દિક પર નિશાન સાધતા કહ્યું કે ગદ્દારો હોય ત્યાં સરદારના વારસાની વાત ન હોય. 

નરેશ પટેલની રાજકારણ એન્ટ્રી અંગે દરરોજ નવી ચર્ચાઓ થાય છે.નરેશ પટેલનાં પત્ની, પુત્ર અને બાદમાં તેમણે પોતે પણ રાજકારણમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી છે.નરેશ પટેલ કોંગ્રેસનો મુખ્યમંત્રીનો ચહેરો બનશે એવી વાતો હતા. પરંતુ આજની બેઠકનો ફિયાસ્કો થયો છે.

તેમણે અનેક વખત દિલ્હીમાં કોંગ્રેસના ટોચના નેતૃત્વ સાથે ચર્ચા કરી છે. નરેશ પટેલની બેઠકોમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પણ સામેલ હતા.જો કે અત્યાર સુધી ચિત્ર સ્પષ્ટ થયું નથી. નરેશ પટેલ તારીખ પર તારીખ આપતા જાય છે. કોંગ્રેસના નેતાઓ આ અંગે કોઇ સ્પષ્ટતા કરી શકતા નથી અને આજની બેઠકમાં કદાચ નરેશ પટેલે કોઇ મોટી માંગણી કરી હોવાથી કોંગ્રેસના નેતાઓ ત્યાંથી ચાલ્યાં ગયા હોય તે પણ શક્ય છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch