Mon,20 May 2024,9:42 pm
Print
header

વિધાનસભા ચૂંટણી પહેલા 76 ડીવાયએસપી, 24 મામલતદારોની બદલીઓ- Gujarat Post

વધુ માહિતી માટે ઉપરની PDF ફાઇલ ડાઉનલોડ કરો

ગાંધીનગરઃ રાજ્યમાં ચૂંટણી પહેલા બદલીઓનો દૌર યથાવત છે, એક જ દિવસમાં 76 ડીવાયએસપીની અને 24 મામલતદારોની બદલી કરવામાં આવી છે. બિન હથિયારી 76 DYSPની બદલીના ગૃહ વિભાગે આદેશ આપ્યાં છે, જેમાં ખંભાળિયાના હિરેન્દ્ર ચૌધરીની અમદાવાદમાં મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝનમાં બદલી થઈ છે. બી.વી. પંડ્યાની રાજકોટમાં મદદનીશ પોલીસ કમિશનર પશ્ચિમ ઝોનમાં બદલી કરાઈ છે. અમરેલીના આરી.ડી.ઓઝાની અમદાવાદમાં મદદનીશ પોલીસ કમિશનર એચ ડિવિઝનમાં બદલીના આદેશ અપાયા છે. અલગ અલગ કારણસર વિલંબમાં પડેલી IPS અધિકારીઓની બદલીને પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં IPS અધિકારીઓની પણ બદલીઓ થશે.

29 મામલતદારોની પણ બદલી કરાઈ છે. યુ વી શાહની મામલતદાર, સ્ટેટ ઈલેકશન કમિશન, ગાંધીનગરમાંથી શિહોરના મામલતદાર તરીકે બદલી કરાઈ છે. યુએલ કણઝારિયાની મામલતદાર લખપતથી કલેકટર ઓફિસ, દેવભૂમિ દ્વારકામાં બદલી કરાઈ છે.

થોડા દિવસો પહેલા 23 IAS અધિકારીઓની અને ડેપ્યુટી કલેક્ટરોની બદલી કરાઇ હતી. હજુ ચૂંટણી પહેલા અનેક વિભાગોમાં બદલીઓ થવાની શક્યતા દેખાઇ રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch