Fri,26 April 2024,11:01 am
Print
header

કહાની ઘર ઘર કી શો ફેમ અભિનેતા સમીર શર્માએ આત્મહત્યા કરી, લાશ પંખા પર લટકતી હતી

મુંબઇઃ કોરોના સંકટ વચ્ચે બોલિવૂડ અને નાના પડદાના અભિનેતાઓની આત્મહત્યા કરવાનો સિલસિલો ચાલુ છે. ટીવી એક્ટર સમીર શર્માએ મુંબઈમાં પોતાના ઘરે આત્મહત્યા કરી છે. સમીર શર્માએ કહાની ઘર-ઘર કી સીરિયલમાં કામ કર્યું હતું, 44 વર્ષીય સમીર શર્માનું મલાડ વેસ્ટના નેહા સીએચએસ બિલ્ડિંગમાં તેના ઘરે જ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે, પોલીસના જણાવ્યા મુજબ એક્ટર 2-3 દિવસ પહેલા આત્મહત્યા કરી હતી. કારણ કે પોલીસ જ્યારે ફ્લેટની અંદર આવી ત્યારે લાશ સડવાનું શરૂ થઈ ગઈ હતી. 

મલાડ પોલીસના જણાવ્યા મુજબ, સમીર આ વર્ષે ફેબ્રુઆરીમાં આ એપાર્ટમેન્ટમાં ભાડે રહેતો હતો. બુધવારે નાઇટ ડ્યુટી પર ચોકીદારને સમીર શર્માની ડેડબોડી રસોડામાં પંખા પર લટકતી જોઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર ત્યાં કોઇ સ્યુસાઇડ નોટ મળી નથી. સમીર શર્માએ ઘણા ટેલિવિઝન શોમાં કામ કર્યું હતું. કહાની ઘર ઘર કી, યે રિશ્તે હૈ પ્યાર કે, જ્યોતિ, ગીત હુઈ સબસે પરાઈ, 2612, દિલ ક્યા ચાહતા હૈ, વીરાનગલી, વો રહેનેવાલી મહેલો કી, આયુષ્માન ભવ, ઇસ પ્યાર કો ક્યા નામ દૂં? એક બાર ફિર, ભૂતૂ જેવા શોમાં જોવા મળ્યા હતા. આ દિવસોમાં તે સિરિયલ યે રિશ્તા હૈ પ્યાર કે માં શૌર્ય મહેશ્વરીની ભૂમિકા નિભાવી રહ્યાં હતા.

સમીર શર્મા ફિલ્મ હંસી તો ફંસી અને ઇત્તેફાકમાં પણ જોવા મળ્યા હતા. સમીર એઇડ્સ અને મોડેલિંગની ઘણી અસાઇનમેન્ટમાં પણ કામ કર્યું હતું. તે દિલ્હીના રહેવાસી હતા. અભ્યાસ પૂરો કર્યા પછી તે બેંગ્લોર શિફ્ટ થઈ ગયા હતા. તેણે ત્યાંની એડ એજન્સીમાં કામ કર્યું. ત્યારબાદ તે અભિનયનું સપનું લઈને મુંબઇ આવ્યા હતા અને તે સ્વપ્ન પણ પૂરું થયું હતું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch