Fri,26 April 2024,3:17 pm
Print
header

ઉત્તરાયણ પર તમારા બાળકોને સાચવજો, સુરતમાં 5માં માળેથી નીચે પટકાતા બાળકનું મોત

સુરત: ઉત્તરાયણ આવતાની સાથે જ અનેક દુર્ઘટનાઓ સામે આવી રહી છે. સુરતના વાંકાનેડા ગામમાં 5માં માળેથી નીચે પટકાતા એક બાળકનું મોત થઇ ગયું છે. એક ધાબા પરથી બીજા ધાબા પર જતાં બાળકનો પગ લપસતા તે નીચે પટકાયો હતો. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.

બનાવ વાંકાનેડા ગામના શિવ શક્તિ કોમ્પ્લેક્ષનો છે.પતંગ ચગાવવા એક ધાબેથી બીજા ધાબે જતી વખતે 5માં માળેથી પટકાતા 12 વર્ષીય બાળકનું મોત નિપજ્યું છે. વ્હાલસોયા પુત્રને ગુમાવતા પરિવારજનો હૈયાફાટ રુદન કરી રહ્યાં છે. પતંગ ચગાવતી વખતે તમારા બાળકોનું ધ્યાન રાખજો, કોઇ મોટી દુર્ઘટના ન ઘટે તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. સાથે જ ગળામાં દોરી આવી જતાં અનેક અકસ્માતો સર્જાઇ રહ્યાં છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch