સુરતઃ સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના નિલેશ કુંભાણીનું નાટ્યાટમક રીતે ફોર્મ રદ્ થયું છે, હવે નિલેશ કુંભાણી (nilesh kumbhani) સંપર્કવિહોણા બનતાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ ફાટી નીકળ્યો છે. કોંગ્રેસના કાર્યકરો નિલેશ કુંભાણીના ઘરે પહોંચ્યાં હતા અને ઘરના દરવાજા પર ‘જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો’ લખેલાં બેનરો (posters) લગાવ્યાં હતાં.
નિલેશ કુંભાણીના સરથાણા (sarthana) વિસ્તારમાં આવેલા ઘરની બહાર તાળું મારેલું જોવા મળ્યું હતું. પોલીસને (police) જાણ થતાં જ અહીં દોડી આવી હતી અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરતાં ઝપાઝપીનાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં. કોંગી નેતાઓએ જણાવ્યું હતું કે નિલેશ કુંભાણીનો માત્ર રાજકીય જ નહીં, સામાજિક બહિષ્કાર થવો જોઈએ. જ્યારે AAPએ નિલેશ કુંભાણી સામે પોલીસ ફરિયાદ કરવા કલેક્ટરને (collector) લેખિત રજૂઆત કરી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે તેવું જાણવા મળ્યું છે, સુરત શહેર કોંગ્રેસ ઉપ-પ્રમુખ દિનેશ સાવલિયાએ જણાવ્યું કે ભાજપની લોકશાહી ખતમ કરવાની માટેની જે ઝુંબેશ ચાલી રહી છે એમાં સામ-દામ-દંડની નીતિ વાપરી કોઈપણ ભોગે સત્તા મેળવવાના ભાગરૂપે સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને લોભ, લાલચ આપી હતી. નિલેશ કુંભાણી ભાજપના એક હિસ્સો બની ગયા હોય એમ લોકશાહીનું ખૂન થયું છે.
કોંગ્રેસ નેતા દિનેશ સાવલીયે જણાવ્યું કે લોકશાહી માટે તેને ગદ્દાર પણ કહી શકાય. આ નિલેશ કુંભાણી દલાલનો પણ દલાલ નીકળ્યો. નિલેશ કુંભાણીએ ષડ્યંત્ર રચ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે, તે જોતાં હવે કોંગ્રેસમાં તેનો વિરોધ સપાટી પર આવવાનો શરૂ થયો છે. સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ દિનેશ સાવલિયા અને અન્ય કાર્યકર્તાઓ આજે નિલેશ કુંભાણીના ઘરે જઈને વિરોધ નોંધાવ્યો હતો, જેમની સરથાણા પોલીસે અટકાયત કરી છે.
ફોર્મ ભરવાથી લઈને અત્યાર સુધીનો ઘટનાક્રમ જોતાં એવું લાગી રહ્યું છે કે નિલેશ કુંભાણીએ ભાજપ સાથે ષડ્યંત્ર રચ્યું હતું, જેનો વિરોધ હવે દેખાવાનો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમના ઘરની બહાર બેનરો લગાવીને વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના શહેર ઉપપ્રમુખ દિનેશ સાવલિયાએ જણાવ્યું હતું કે લોકશાહીની હત્યા કરવાનું ષડ્યંત્ર નિલેશ કુંભાણીએ જ રચ્યું છે. તેનો માત્ર રાજકીય રીતે નહીં, પરંતુ સામાજિક રીતે પણ બહિષ્કાર થવો જોઈએ. અમે જ્યારે અહીં વિરોધ કરવા આવ્યા છીએ ત્યારે અમને સરથાણા પોલીસે ડિટેઇન કરી લીધા છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ભ્રષ્ટ બાબુના ઘરમાં બેડ નીચેથી મળ્યાં રૂ. 30,00,000, ધંધુકામાં નાયબ કાર્યપાલ ઇજનેરની થઇ છે ધરપકડ | 2024-05-03 18:11:03
કેનેડામાં પોલીસ ચોરની પાછળ પડી હતી ત્યારે જ થયો અકસ્માત, 4 ભારતીયોના ઘટના સ્થળે મોત થઇ ગયા | 2024-05-03 17:37:06
પાકિસ્તાનમાં ભયાનક માર્ગ અકસ્માત થયો, બસ પહાડી પરથી ખાઈમાં પડી જતાં 20 લોકોનાં મોત | 2024-05-03 17:13:34
મહારાષ્ટ્રના વાશિમમાં બે કાર વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોનાં મોત | 2024-05-03 16:56:10
નર્સે વોટ્સએપમાં મોકલી સ્યૂસાઇડ નોટ, જિંદગી હવે બોરિંગ થઇ ગઇ છે...હું એવી જગ્યાએ મરીશ કે તમને લાશ પણ નહીં મળે | 2024-05-03 12:16:34
વહુએ જ આપી હતી રૂ.10 લાખની સોપારી, હિંમતનગરમાં નિવૃત પોલીસકર્મી અને તેમના પત્નીની હત્યાનું રહસ્ય સામે આવ્યું | 2024-05-03 11:19:13
સાબરકાંઠામાં પ્રેમ પ્રકરણમાં પાર્સલ બ્લાસ્ટ કરાયો હતો...પત્નીના પ્રેમીની હત્યા માટે રચાયું હતુ આ ષડયંત્ર | 2024-05-03 10:49:50
વડોદરામાં ગરમીનો કહેર, હાર્ટ એટેકથી વધુ બે લોકોના જીવ ગયા- Gujarat Post | 2024-05-03 10:27:11
પરસોત્તમ રૂપાલાના કારણે આણંદમાં ભાજપને પડી શકે છે મુશ્કેલી, ક્ષત્રિયો છે નારાજ- Gujarat Post | 2024-05-03 10:17:26
રાયબરેલીથી રાહુલ અને અમેઠીથી કોંગ્રેસે ગાંધી પરિવારની નજીકની આ વ્યક્તિ પર લગાવ્યો દાવ | 2024-05-03 08:37:49
કોણ છે જામ સાહેબ શત્રુશલ્યસિંહજી ? જેમના ઘરે પીએમ મોદીએ જઈને લીધા હતા આશીર્વાદ | 2024-05-03 08:28:12
પાકિસ્તાન રાજકુમારને વડાપ્રધાન બનાવવા બેતાબ છે, PM મોદીએ રાહુલ પર કર્યો કટાક્ષ | 2024-05-02 17:14:50
વડોદરાના વાઘોડિયામાં ભાજપના(bjp) બેનરો ફાડી નાખવામાં આવ્યાં, જાણો વધુ વિગતો- Gujarat Post | 2024-05-02 08:52:56
નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી કરવામાં આવ્યાં સસ્પેન્ડ- Gujarat Post | 2024-04-26 21:39:16
નિલેશ કુંભાણીએ વીડિયો બનાવીને કર્યો પોતાનો બચાવ, પ્રતાપ દૂધાત, કોંગ્રેસને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-04-26 18:22:03
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55
હવે થશે જોવા જેવી ! પ્રતાપ દુધાતે કહ્યું સુરતમાં ગદ્દાર નીલેશ કુંભાણી રહેશે કે પછી હું રહીશ - Gujarat Post | 2024-04-24 17:07:37
રૂ.15 લાખની લાંચની માંગણી, રૂ.5 લાખ લેનારો એએસઆઇનો ભાઇ ACB ની ઝપેટમાં આવી ગયો | 2024-04-23 22:56:25