Sat,27 April 2024,6:28 am
Print
header

સુરતમાં ક્રૂર પિતાએ પુત્રીને છરાના 17 ઘા મારીને ઉતારી મોતને ઘાટ, પત્ની અને ત્રણ પુત્રો પણ ઘાયલ

સુરતઃ કડોદરામાં ઉંઘવા બાબતે ઝઘડો થતા પિતાએ દીકરી, ત્રણ દીકરાઓ અને પત્ની પર છરાથી હુમલો કર્યો હતો. જેમાં પિતાએ દીકરીને 17 જેટલા ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જ્યારે ત્રણ દીકરાઓને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

કડોદરામાં સત્યમ નગર વિસ્તારમાં રામાનુજ શાહુ (ઉં.વ.42) પોતાના પરિવાર સાથે રહે છે. રાત્રે ધાબા પર પત્ની રેખાદેવી (ઉ.વ.40) સાથે સુવા બાબતે રામાનુજનો ઝઘડો થયો હતો. બંન્ને વચ્ચે ઝઘડો ઉગ્ર બનતા દીકરી ચંદાકુમારી (ઉં.વ.19) અને ત્રણ દીકરાઓ સૂરજ, ધીરજ અને વિશાળ ત્યાં દોડી આવ્યાં હતા. માતાને બચાવવાનો પ્રયાસ કરતા પિતાએ દીકરાઓ અને દીકરી પર મટન કાપવાના છરાથી હુમલો કરી દીધો હતો.

પિતાના હાથમાં દીકરી આવી જતા તેના પર છરાથી 17 જેટલા ઘા માર્યાં હતા. દીકરીને હાથ અને ચહેરા પર ઘા માર્યાં હતા. દીકરીના ચહેરા પર મારવામાં આવેલા ઘાથી ચહેરાના બે ભાગ થઈ ગયા હતા અને દીકરીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે માતા અને ત્રણ દીકરાઓને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. મૂળ બિહારનો રામાનુજ મિલમાં મજૂરી કામ કરતો હતો. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી આવીને હત્યા કરનાર રામાનુજને ઝડપી પડ્યો હતો. હાલમાં આ ઘટનાથી આસપાસ રહેતા લોકોમાં પણ ડરનો માહોલ છવાઇ ગયો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch