સુરતઃ દેશના મહાનગરોમાં હાથ ધરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત મહાનગરપાલિકાએ સ્વચ્છતામાં પ્રથમ નંબર હાંસલ કર્યો હતો. પરંતુ દેશના આ સૌથી સ્વચ્છ શહેરમાં રખડતા કૂતરાઓના આતંકથી લોકો પરેશાન છે. શહેરમાં રખડતા કૂતરાઓ સતત લોકોને શિકાર બનાવી રહ્યાં છે. તાજેતરના કિસ્સામાં કૂતરાઓએ ચાર વર્ષની માસૂમ બાળકી પર હુમલો કરી મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધી છે.
રખડતા કૂતરાઓ સામે મહાનગરપાલિકા લાચારી અનુભવી રહી છે. આ ઘટના સુરતના ભેસ્તાન વિસ્તારમાં બની હતી. અહીં રહેતા મજૂર પરિવારની ચાર વર્ષની બાળકી શેરડી લેવા ઝાડીઓમાંથી પસાર થઈ રહી હતી. તે જ સમયે ઘણા કૂતરાઓએ એકસાથે તેના પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં બાળકીને શરીર પર ઘણી ઈજાઓ થઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું.
પરિવાર મધ્યપ્રદેશના ઝાબુઆનો રહેવાસી
સિવિલ હોસ્પિટલમાં મૃતક બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. સિદ્ધાર્થનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા મજૂર કાલુભાઈ દેવચંદ આરાદ મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના છે. તે અહીં તેમની પત્ની, ત્રણ પુત્રો અને ચાર વર્ષની પુત્રી સુરમિલા સાથે રહે છે.
કાલુભાઈ અને તેમના પત્ની પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી ટેક્સટાઈલ મિલના બોઈલરમાં કોલસો નાખવાનું કામ કરે છે. દરરોજની જેમ તે પોતાના બાળકોને ઘરે મુકીને કામ પર ગયા હતા. સોમવારે સાંજે પાંચેક વાગ્યાના સુમારે કાલુભાઈની પુત્રી સુરમીલા ગાયો માટેના ચારામાં શેરડીના ટુકડા શોધતી ઝૂંપડપટ્ટી પાસેની ઝાડીઓમાં પહોંચી હતી.
કૂતરાઓના ટોળાએ હુમલો કર્યો
શેરડીની શોધમાં ગયેલી સુરમિલાને અચાનક 8 થી 10 રખડતા કૂતરાઓએ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ સુરમિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેને ખબર ન હતી કે શેરડીના ટુકડાને બદલે તેને ત્યાં મૃત્યું મળશે.
સાંજે જ્યારે માતા-પિતા કામ પરથી ઘરે પરત ફર્યાં ત્યારે તેઓએ સુરમિલાને શોધવાનું શરૂ કર્યું. પરંતુ તે ક્યાંય મળી ન હતી. તેઓ ઝાડીઓ તરફ ગયા ત્યારે ત્યાં બાળકીની લાશ પડી હતી. તે જીવિત હશે તેવી આશાએ તેના માતા-પિતા તેને રાત્રે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સસ્પેન્સનો અંત આવ્યો, રાયબરેલીથી રાહુલ અને અમેઠીથી કોંગ્રેસે ગાંધી પરિવારની નજીકની વ્યક્તિ પર લગાવ્યો દાવ | 2024-05-03 08:37:49
જામ સાહેબ શ્રી શત્રુસલ્ય સિંહજી કોણ છે? જેમના ઘરે પીએમ મોદીએ જઈને લીધા હતા આશીર્વાદ | 2024-05-03 08:28:12
ACB Trap- આ નાયબ કાર્યપાલ ઇજનેર રૂ. 1,20,000 ની લાંચ લેતા ઝડપાઇ ગયા | 2024-05-02 20:48:32
પિતા-પુત્રીનું મોત... સાબરકાંઠામાં ઓનલાઇન મંગાવેલું પાર્સલ ખોલતા જ થયો જોરદાર વિસ્ફોટ | 2024-05-02 17:25:08
પાકિસ્તાન રાજકુમારને વડાપ્રધાન બનાવવા બેતાબ છે, PM મોદીએ રાહુલ પર કર્યો કટાક્ષ | 2024-05-02 17:14:50
વડોદરાના વાઘોડિયામાં ભાજપના(bjp) બેનરો ફાડી નાખવામાં આવ્યાં, જાણો વધુ વિગતો- Gujarat Post | 2024-05-02 08:52:56
નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી કરવામાં આવ્યાં સસ્પેન્ડ- Gujarat Post | 2024-04-26 21:39:16
નિલેશ કુંભાણીએ વીડિયો બનાવીને કર્યો પોતાનો બચાવ, પ્રતાપ દૂધાત, કોંગ્રેસને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-04-26 18:22:03
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55
હવે થશે જોવા જેવી ! પ્રતાપ દુધાતે કહ્યું સુરતમાં ગદ્દાર નીલેશ કુંભાણી રહેશે કે પછી હું રહીશ - Gujarat Post | 2024-04-24 17:07:37
રૂ.15 લાખની લાંચની માંગણી, રૂ.5 લાખ લેનારો એએસઆઇનો ભાઇ ACB ની ઝપેટમાં આવી ગયો | 2024-04-23 22:56:25