Sat,27 April 2024,8:42 am
Print
header

પૂર્વ કૃષિમંત્રી અને સાવરકુંડલાના પૂર્વ MLA વી.વી.વઘાસિયાનું કાર અકસ્માતમાં નિધન

સાવરકુંડલાઃ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કૃષિ મંત્રીની કાર અને જેસીબી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તેમાં વી.વી.વઘાસિયાનું નિધન થયું છે. કાર-જેસીબી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સાવરકુંડલાનાં શેલાણાં વંડા રોડ પરથી પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસિયા પોતાની કારમાં જઈ રહ્યાં હતા.તે દરમ્યાન અચાનક સામેથી આવી રહેલ જેસીબી સાથે તેમની કારને ટક્કર થતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં વી.વી.વઘાસિયાને માથાનાં ભાગે ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. વી.વી.વઘાસિયાનાં મૃતદેહને પીએમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch