Mon,29 April 2024,8:16 am
Print
header

તું બીજા પાસે કેમ જાય છે...? 17 વર્ષના લગ્નજીવનનો ભયાનક અંત...પતિએ પત્નીની ક્રૂર રીતે હત્યા કરીને લાશ પાસેથી વીડિયો બનાવ્યો

પતિ, પત્ની અને વોની મેટરમાં હત્યા

પત્નીના પોતાના મિત્ર સાથે સંબંધો હોવાનો ઘટસ્ફોટ

આરોપીએ કહ્યું મને કોઇ પસ્તાવો નથી, મેં પત્નીની ક્રૂર રીતે હત્યા કરી

રાજકોટઃ શહેરમાં એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે, અંબિકાનગર ટાઉનશીપમાં આવેલા શાંતિનિવાસ એપાર્ટમેન્ટમાં એક પતિએ ક્રૂર રીતે પત્નીની હત્યા કરી નાખી છે.

ગુસ્સે ભરાયેલા પતિએ પથ્થરના 5-6 ઘા મારીને પત્નીની હત્યા કરી નાખી હતી. બાદમાં આરોપીએ લાશ પાસે બેસીને વીડિયો બનાવીને તેને વોટ્સએપ ગ્રુપોમાં નાખ્યો હતો.

હત્યા બાદ આરોપી ગુરૂપા શિરોડીએ પોલીસને ફોન કરીને હાજર થવાની વાત કરી હતી અને પોતાનો ગુનો કબૂલી લીધો હતો,  આરોપીએ કહ્યું કે મને કોઇ પસ્તાવો નથી, મારી પત્ની મને મુકીને બીજાની સાથે જતી હતી, જેથી મેં આ હત્યા કરી હતી. જે મારો દોસ્ત હતો તેની સાથે મારી પત્ની જતી હતી અને તે પણ ગદ્દાર નીકળ્યો.

આરોપીએ કહ્યું કે મારા બે સંતાનો છે, તેમ છંતા મારી પત્ની બીજા પાસે જતી હતી, મેં તેને સમજાવી પણ તે ન સમજી, હું બિઝનેસમેન છું અને મેં ન છૂટકે આ પગલું ભર્યું છે, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ રાત્રે પત્નીની હત્યા કરીને વહેલી સવારે પોલીસને ફોન કર્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch