Mon,29 April 2024,12:21 am
Print
header

બધા જ એક્ઝિટ પોલ ખોટા, ઇસુદાન ગઢવીએ કહ્યું ગુજરાતમાં નથી બનવાની ભાજપની સરકાર

પરિણામ પહેલા આપના ઈસુદાન ગઢવીનો દાવો

એક્ઝિટ પોલમાં ભાજપની સરકાર બનાવાનો દાવો 

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થવાને બે દિવસ બાકી છે. બધા જ એક્ઝિટ પોલમાં ભાજપની જીત દેખાઇ રહી છે. ત્યારે હવે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ મોટો દાવો કર્યો. તેમણે કહ્યું, ગુજરાતમાં ભાજપની સરકાર નથી બનતી. જો અમને પૂર્ણ બહુમતી નહીં મળે તો કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને પણ સરકાર બનાવીશું. જો કે આ અંગેનો નિર્ણય પરિણામ જાહેર થયા બાદ જ લેવામાં આવશે.

ઇસુદાન ગઢવીએ કહ્યું, અત્યાર સુધીમાં અનેક એક્ઝિટ પોલ ખોટા પડ્યાં છે. સર્વે એજેન્સીના સેપમ્લ ઓછા હોય છે અમારી પાસે સર્વેનો વિસ્તાર મોટા છે. હાલ મેં પહેલા તબક્કાનો સર્વે કરી લીધો છે. જેમા 50થી બેઠકોનો અનુમાન મળી રહ્યો છે અને બીજા તબક્કામાં 30થી વધુ બેઠકનો સર્વે આવ્યો છે અને બીજી બેઠકોને આવવાનો બાકી છે. એટલે કટોકટી જેટલી સીટો આવશે તો ગઠબંધન પર વિચાર કરીશું.

ગઈકાલે વિવિધ એક્ઝિટ પોલમાં સામે આવેલા આંકડા અનુસાર 182માંથી બીજેપીને 120 થી 134 સીટો મળી શકે છે.  કોંગ્રેસને 30 થી 37 સીટો મળે તેવા એંધાણ છે. બીજી તરફ આમ આદમી પાર્ટીને 5 થી 10 સીટો મળવાનો અંદાજ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch