અમદાવાદઃ રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવતા કાળઝાળ ગરમીથી છૂટકારો મળ્યો છે. હવામાન વિભાગે આજે પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 27, 28 અને 29 તારીખે વરસાદ થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને હવામાં વધી રહેલા ભેજના કારણે વરસાદ થવાની સંભાવના છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ભાવનગરમાં પણ વરસાદ થઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, મધ્યમાં આણંદમાં પણ વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીને કારણે તેજ પવન સાથે વરસાદ થશે. ગઈકાલે સાંજે પણ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ થતા શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી હતી. અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ચોમાસું સામાન્ય કરતા નબળું રહેવાની સંભાવના છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
IPL 2023 ફાઇનલ: CSK એ પાંચમી IPL ટ્રોફી જીતી લીધી, જાડેજાએ છેલ્લા બોલ પર જીતાડી મેચ | 2023-05-30 06:29:53
અંબાલાલની આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે હજુ આવશે જોરદાર વરસાદ- Gujarat Post | 2023-05-29 11:29:19
અમદાવાદમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રદ્દ, હજારો ભક્તો નિરાશ થયા- Gujarat Post | 2023-05-29 11:22:22
બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદમાં, બે દિવસીય દરબારમાં આવશે હજારો ભક્તો- Gujarat Post | 2023-05-28 13:03:53
અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન, હવે મથુરાનો વારો, અમદાવાદમાં બાગેશ્વર બાબાનું નિવેદન | 2023-05-25 21:02:56