અમિત શાહે જસદણમાં સભાને સંબોધન કર્યું
સભામાં શાહે કોંગ્રેસની કાઢી ઝાટકણી
રાજકોટઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જસદણમાં સભાને સંબોધન કરતા કહ્યું કે, આ જસદણ સભાની સીટ નથી આ કુંવરજીભાઈના કામની સીટ છે. જસદણના સૌ નાગરીકોને કહેવું છે કે, મેં તેમને વિધાનસભામાં કામ કરતા જોયા છે.નાની પત્રિકાઓમાં આ વિસ્તારના કામોની વાત તેઓ લખીને રાખતા હતા. તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા અને તેમનું મનથી ભાજપે સ્વાગત કર્યું. આ જલારામ બાપુની ભૂમિ છે. માનવ સેવાની વ્યાખ્યા કેવી હોય તેનો એક પણ શબ્દ બોલ્યાં વિના સંદેશો આપ્યો હતો. જલારામ બાપાને પ્રણામ કરીને હું મારી વાત શરુ કરી રહ્યો છું.
2022માં ચૂંટણીમાં તમારે મત આપવાનો છે, તમે એવું ન વિચારતા કે તમારો મત માત્ર કુંવરજીભાઈને ધારાસભ્ય બનાવવા માટે છે, પરંતુ આવનારા દિવસોમાં ગુજરાતના ભવિષ્યને વધુ મજબૂત કરવા માટે આપો છો. કોંગ્રેસીયાઓએ દેશમાં વર્ષો સુધી રાજ કર્યું છે. અહીં ઘરમાં વારા કરીને ન્હાવું પડતું હતું. પરતુ હવે ભાજપની સરકારે પાણીની જરૂરિયાત પુરી કરી નાખી છે. સૌરાષ્ટ્રમાં દોઢ લાખથી વધુ ચેકડેમો બનાવ્યાં છે.
સરદાર સરોવરનું ભૂમિ પૂજન મારા જન્મના 1 વર્ષ પહેલા કર્યું હતું ત્યારે પાણી પહોંચતા કેટલો સમય થયો. આટલા વર્ષો સુધી કોંગ્રેસે ભૂમિને તરસી રાખી, 35 વર્ષની ઉંમરમાં વાળ ધોળા થઈ ગયા અને ઘડપણ વહેલું આવી ગયું, તેવું ક્લોરાઈડવાળું પાણી પીવાના કારણે આવું થતું. આ પાણી રોકવાનું કામ કરવામાં આવતું હતું. નર્મદા ડેમની ઉંચાઈ વધારવાની ના પાડી ત્યારે મનમોહન સરકાર સામે નરેન્દ્ર મોદી આમરણાંત ઉપવાસ પર બેઠા હતા અને તેમને ઝૂકાવ્યાં હતા.
2014 માં ઝાડુના નિશાન પર મેઘા પાટકરને ટિકિટ અપાઈ હતી, જેમને ગુજરાતમાં નર્મદાનું પાણી આવતા રોક્યું હતું. અત્યારે ઝાડુવાળાને ખબર છે કે, હાલમાં ગુજરાતમાં મેઘા પાટકરને ન લઈ જવાય, પરંતુ ઝાડ઼ુવાળાને પૂછજો મેઘાબેનને લડાવ્યાં કેમ હતા.
2005માં નરેન્દ્ર મોદીએ ડેમની ઉંચાઈ વધારવાનો નિર્ણય લીધો અને વડાપ્રધાન બનતાની સાથે જ 15 દિવસમાં દરવાજા લગાવીને સૌરાષ્ટ્ર-કચ્છની ધરતી પર પાણી પહોંચાડાયું હતુ. ત્રણ તબક્કામાં સૌની યોજના લાવ્યાં અને સૌરાષ્ટ્રમાં તેને કારણે ઘરો સુધી પાણી પહોંચાડવામાં આવ્યું. સૌરાષ્ટ્રમાં હું 10 જિલ્લાઓમાં જઈ આવ્યો છું, અત્યારે ટેકાના ભાવ સારા મળી રહ્યાં છે.આખા સૌરાષ્ટ્રની તરસ ભાંગવાનું કામ ભાજપે કર્યું છે.
અમારી સરકારમાં ગુંડાઓનો સફાયો થઇ ગયો
અમિત શાહે કહ્યું કે પહેલા ગુંડાઓનો ત્રાસ હતો, હવે ક્યાંય દેખાતા નથી. હવે કોઈ દાદો નથી દેખાતો, માત્ર ગામમાં હનુમાન દાદા જ છે. કાયદો અને વ્યવસ્થા અને શાંતિનું રાજ ભાજપ લાવી છે જ્યાં શાંતિ ન હોય ત્યાં વિકાસ પણ ના થાય, અમારી સરકારે શાંતિ સ્થાપી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55
રાજ્યમાં માવઠા વચ્ચે વીજળીનો પણ કહેર, 6 વર્ષની બાળકી સહિત 17થી વધુ લોકોનાં મોત | 2023-11-27 08:07:05
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બરફની ચાદર છવાઈ, લોકોએ પરિવાર સાથે પડાવ્યાં ફોટો | 2023-11-26 10:07:53
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અયોધ્યામાં રામ લલ્લાના કર્યા દર્શન- Gujarat Post | 2023-11-25 17:13:27
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીઃ સીએમ ગેહલોતે પરિવાર સાથે કર્યું મતદાન, રાહુલ ગાંધીનું ટ્વિટ ચર્ચામાં- Gujarat Post | 2023-11-25 11:35:58
રાજસ્થાનની 199 બેઠકો પર મતદાન, વસુંધરાએ બાલાજી મંદિરમાં કરી પૂજા, ગેહલોતે કહ્યું- જીત અમારી જ થશે | 2023-11-25 09:00:08
રાહુલ ગાંધીના પનોતી નિવેદન પર મોહમ્મદ શમીએ કહી આ વાત- Gujarat Post | 2023-11-24 11:17:09
સોનિયા-રાહુલ ગાંધીને ઝટકો, ED એ યંગ ઈન્ડિયાની રૂ.751 કરોડની સંપત્તિ કરી જપ્ત- Gujarat Post | 2023-11-21 20:49:09
કિરણ પટેલ 10 જ વિઝિટિંગ કાર્ડ છપાવતો હતો, પોલીસ પૂછપરછમાં કરી કબૂલાત- Gujarat Post | 2023-04-13 11:45:01
ભાજપ કેમ બીજી 26 બેઠકો ન જીતી શક્યું ? પાટીલે જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ પાસે માંગ્યો ખુલાસો- Gujarat Post | 2022-12-19 15:06:22
કેજરીવાલનો નવો અંદાજ, કહ્યું- ગાયનું દૂધ તો કોઇ કાઢી શકે પરંતુ અમે ગુજરાતમાં આખલાનું દૂધ કાઢી લાવ્યાં ! | 2022-12-19 14:49:42
કેજરીવાલનું સપનું, ભલે અત્યારે 5 બેઠકો મળી હોય, પરંતુ 2027માં ગુજરાતમાં અમારી સરકાર બનશે | 2022-12-18 18:21:19
વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરી, ડે.સ્પીકર તરીકે જેઠા ભરવાડનું નામ ફાઇનલ | 2022-12-15 16:22:20
અમદાવાદ સહિત રાજ્યભરમાં માવઠું, કેટલીક જગ્યાએ કરા પડ્યાં, લગ્ન પ્રસંગોમાં વરસાદ બન્યો વિલન | 2023-11-26 09:57:31
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ, ખેડૂતોમાં વધી ચિંતા | 2023-11-26 09:48:01