Sun,28 April 2024,10:30 pm
Print
header

કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા ગમે ત્યારે કરી શકે છે કેસરિયો, આજે આ કોંગ્રેસી નેતાઓ જોડાયા ભાજપમાં

ગાંધીનગરઃ પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા કોંગ્રેસની નારાજ છે. કોંગ્રેસે રામમંદિરના ઉદ્ધઘાટનમાં જવાની ના પાડતા જ તેમની નારાજગી સામે આવી અને તેમને કોંગ્રેસ હાઇકમાન્ડને ખુલ્લેઆમ સલાહ આપી કે શ્રીરામ બધાના છે, આપણી પાર્ટીનો નિર્ણય ખોટો છે, હવે સૂત્રોથી મળતી માહિતી મુજબ મોઢવાડિયા ગમે ત્યારે ભાજપમાં સામેલ થઇ શકે છે અને તેમના કદ મુજબ ભાજપ પણ તેમની યોગ્ય ગોઠવણ કરશે. જો કે મોઢવાડિયા એ પણ જાણે છે કે હવે કોંગ્રેસમાં કોઇ ભવિષ્ય નથી.બીજી તરફ તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ભાજપમાં જવાની વાતને રદિયો પણ આપ્યો છે.

આ બધાની વચ્ચે આજે કોંગ્રેસના અનેક નેતાઓએ કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં ખેડાના મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીત ઠાકોર કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા છે.
હિંમતનગર વિધાનસભામાં ઉમેદવારી નોંધાવનાર અને સાબરકાંઠા જિલ્લાના પૂર્વ પ્રમુખ વિપુલ પટેલ, મેઘરજ જિલ્લા પંચાયતના સભ્ય જતિન પંડ્યા તેમના પત્ની એવા સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ રૂપલ પંડ્યાં ભાજપમાં જોડાયા છે.

આ સાથે અનેક કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ ગયા છે, બધાએ કોંગ્રેસથી કોઇને કોઇ નારાજગીની વાત કરીને પાર્ટી છોડી છે. ત્યારે લોકસભા પહેલા હજુ પણ ભાજપનો ભરતી મેળો ચાલુ રહેશે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch