Fri,26 April 2024,8:13 am
Print
header

ભાવનગરઃ સ્કૂલેથી ઘરે જતા ત્રણ વિદ્યાર્થીઓને ખેતરમાં લાગ્યો વીજ કરંટ, ત્રણેયનાં મોત

ભાવનગરઃ મહુવાના કાટીકડા ગામે 3 વિદ્યાર્થીઓના વીજકરંટ લાગવાથી મોત થતા ગામમાં શોકનો માહોલ સર્જાયો છે. શાળાએથી છૂટીને ઘરે જતી વખતે 3 વિદ્યાર્થીઓને ખેતરમાં રાખેલા ઝાટકા મશીનનો કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા ત્રણેય વિધાર્થીઓના ઘટના સ્થળે જ મોત થઇ ગયા હતા. આ અંગેની જાણ મહુવા પોલીસને થતા સ્થળ પર દોડી આવી હતી. વિદ્યાર્થીઓના મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

જાનવરો પાક ન બગાડે તે માટે ખેતરમાં મુકાય છે ઝાટકા મશીન 

મૃતક વિધાર્થીઓમાં કોમલબેન મગનભાઇ ચૌહાણ (ઉ.વ 12 ), નૈતિક કનુભાઇ જંબુચા (ઉ.વ 12 ), પ્રિયંકા કનુભાઇ જંબુચા (ઉ.વ 12 ) નો સમાવેશ થાય છે. ત્રણેયના મોતના સમાચાર પરિવારજનોને મળતા તેમના માથે આભ તૂટી પડ્યું છે. સ્થાનિકોને આ ઘટનાની જાણ થતા ટોળે ટોળાં સ્થળ પર ઉમટી પડ્યા હતા. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch