Thu,02 May 2024,3:05 am
Print
header

અજયે ગલવાન ઘાટી પર ફિલ્મ બનાવવાની ઘોષણા કરી, ટ્રોલ્સે કહ્યું કે અક્ષયની ફિલ્મ છીનવાઇ ગઈ

ગલવાન ઘાટીમાં શહીદ થયેલા 20 જવાનોની શૌર્યગાથા હશે 

મુંબઇઃ અભિનેતા અજય દેવગન ગલવાન ખીણમાં શહીદ થયેલા ભારતના 20 સૈનિકોની બહાદુરી પર ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે. ટ્રેડ એનાલીસ્ટ તરણ આદર્શે શનિવારે સોશિયલ મીડિયા પર આ સમાચાર આપ્યાં હતા.જાહેરાત કરતાં તરણે એક ટ્વીટ કર્યું છે કે અજય દેવગન ગલવાન ખીણ પર એક ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે. ફિલ્મના શીર્ષક અંગે હજી વિચારણા કરવામાં આવી નથી. આ ફિલ્મમાં ચીની આર્મી સાથે ઉગ્ર સંઘર્ષ કરનારા 20 સૈનિકોની વાર્તા બતાવવામાં આવશે. ફિલ્મની કાસ્ટ વિશે પણ હજુ વિચારણા કરવામાં આવી નથી.

અજય વિશેના આ સમાચાર સાંભળીને હવે તેના ચાહકો ખૂબ જ ખુશ છે, પરંતુ સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ અજય દેવગન અને અક્ષય કુમારની મજાક ઉડાવી રહ્યાં છે. તેનું કારણ એ છે કે દેશના મોટાભાગના મોટા મુદ્દાઓ પર અક્ષય કુમાર ફિલ્મો બનાવે છે. સામાજિક મુદ્દાઓ હોય કે દેશભક્તિ, અક્ષય કુમાર દરેક મુદ્દા પર પહેલા ફિલ્મ બનાવવા માટે તૈયાર છે. આ સાથે અક્ષયે ઘણી વખત ભારતની સૈન્ય પર ફિલ્મ બનાવવામાં રસ દાખવ્યો છે.

અજય દેવગણની ઘોષણા કર્યાં બાદ હવે લોકો અક્ષય કુમારની મજાક ઉડાવી રહ્યાં છે. એક યુઝરે લખ્યું કે અજયે અક્ષયની ફિલ્મ છીનવી લીધી છે. ત્યાં કેટલાંક મેમ્સ શેર કરીને બતાવવામાં આવ્યું કે અજયની આ જાહેરાત પછી અક્ષય રડતો જ રહેશે. 

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch