Fri,26 April 2024,6:13 pm
Print
header

ધ બર્નિંગ બસ....અમદાવાદમાં ભડભડ સળગી ઉઠી BRTS બસ, ડ્રાઈવરની સમય સૂચકતાથી 25 લોકોના જીવ બચી ગયા- gujaratpost

મેમનગર BRTS બસ સ્ટેન્ડ પાસે બની ઘટના 

અમદાવાદઃ આજે એક BRTS બસ એકાએક રીતે સળગી ગઈ હતી, જો કે બસના ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને 25 જેટલા પેસેન્જર્સને નીચે ઉતારી દીધા હતા. જેથી તમામ પેસેન્જર્સનો બચાવ થયો હતો. અમદાવાદ શહેરના મેમનગરમાં આવેલા BRTS બસ સ્ટેન્ડ પર અચાનક જ બસના એન્જીનમાંથી ધુમાડો નીકળતાં બસ ડ્રાઈવરે બધા પેસેન્જર્સને બહાર જવા કહ્યું હતું અને BRTS બસ સ્ટેન્ડ પર ઉભેલા તમામ યાત્રીઓને પણ બસ સ્ટેન્ડથી દૂર કરી દીધા હતા.

જે BRTS બસમાં આગ લાગી હતી તે બસમાં લગભગ 25 જેટલા મુસાફરો મુસાફરી કરતા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી અને આ બસ RTOથી મણિનગર તરફ જઈ રહી હતી. આ ઘટના આજે સવારે 8 વાગ્યાની આસપાસ બની હતી. બસ મેમનગર BRTS પર પહોચી ત્યારે અચાનક બંધ પડી ગઈ હતી અને બસના એન્જીનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ બસના ડ્રાઈવરે બસના તમામ દરવાજા ખોલી નાખ્યા હતા અને બધા પેસેન્જર્સને ઉતરી જવા કહ્યું હતું અને બધા લોકોને દૂર જવા કહ્યું હતું. 

જો કે થોડીક ક્ષણોમાં જ બસમાં આગ લાગવાની શરુઆત થઇ ગઈ હતી. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયબ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે, જો કે આ ઘટનાથી BRTS બસના મેન્ટેનન્સ પર સવાલ ઉભા થઇ રહ્યાં છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch