Tue,18 November 2025,5:51 am
Print
header

વડોદરામાં પ્રેમિકાએ લગ્નની ના પાડતા પ્રેમીનો આપઘાત, સ્યૂસાઇડ નોટમાં લખી આ વાત- Gujarat Post

  • Published By
  • 2024-02-12 10:02:06
  • /

(પ્રતિકાત્મક તસવીર)

વડોદરાઃ સંસ્કારી નગરી વડોદરામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડતા  હતાશ થયેલા પ્રેમીએ ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. જેને લઈને ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગોરવા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા 29 વર્ષના આનંદ રમેશકુમાર નાયકે પોતાના ઘરે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે, આનંદ નાયક લક્ષ્મી વિલાસ પેલેસમાં નોકરી કરતો હતો. તેના પિતા દસ્તાવેજનું કામ કરે છે. આનંદને એક યુવતી સાથે પ્રેમ સંબંધો હતા.

યુવતીએ લગ્ન કરવાની ના પાડતા તે હતાશ થઇ ગયો હતો. તેના કારણે તેને જીવન ટૂંકાવી દીધું હતું. પોલીસને એક ચિઠ્ઠી પણ મળી છે. જેમાં આનંદે  પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડતા આપઘાત કર્યો હોવાનું લખ્યું હતું. ત્યારે પોલીસે હાલમાં આ કેસની વધુ તપાસ હાથ ધરી છે, બીજી તરફ પોતાના પુત્રના આપઘાતથી પરિવાર આઘાતમાં છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch