મોરબીઃ મચ્છુ નદી પર આવેલો ઝુલતો પુલ તુટી પડ્યાની ઘટનાને આજે ચોથો દિવસ છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 135 લોકોના મોત થયા હોવાના દાવો કરવામાં આવ્યો છે, ચોથા દિવસે પણ મચ્છુ નદીમાં સર્ચ ઓપરેશન શરૂ છે. NDRFના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ રાકેશ કુમારે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે ગુમ થયેલા લોકોને શોધી કાઢવા માટે શોધ ચાલુ છે.
મોરબીની ઘટનાને પગલે આજે રાજ્યવ્યાપી શોકનું એલાન કરવામાં આવ્યું છે. જેથી મૃતકોને શ્રદ્ધાંજલી આપવા રાજ્યવ્યાપી શોક પાળવામાં આવશે અને ઇમારતોમાં અડધી કાઠીએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવશે. તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં.
મોરબી બ્રિજ દુર્ઘટનાના ત્રીજા દિવસે PM મોદીએ મોરબીની મુલાકાત લીધી હતી.વડાપ્રધાન મોદીએ બ્રિજનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. મોરબીમાં અકસ્માત સ્થળ પર જઇને બ્રિજ દુર્ઘટનાનો તાગ મેળવ્યો હતો અને સિવિલ હોસ્પિટલ હોસ્પિટલમાં અસરગ્રતો સાથે વાત કરી હતી. મોદીની અધ્યક્ષતામાં મોરબી SP કચેરી ખાતે હાઈલેવલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યાં પુલ દુર્ઘટનાની સમીક્ષા કરાઇ હતી. મોદીએ સૂચના આપી છે કે આ ગોઝારી ઘટનામાં એક-એક કડીની ઝીણવટભરી તપાસ કરવી અને જવાબદારો સામે કાર્યવાહી કરવી.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
મહીસાગરમાં આધેડ શિક્ષક યુવાન પ્રેમિકા સાથે ઈલુ ઈલુ કરતા ઝડપાઇ ગયો, યુવતીના પરિવારજનોએ આપી તાલીબાની સજા- Gujarat Post | 2024-05-21 10:50:08
ACB Trap: ડભાણ ગ્રામ પંચાયતના તલાટી લાંચ લેતા ઝડપાયા, 6 મહિના પહેલા જ થઈ હતી નિમણૂંક- Gujarat Post | 2024-05-21 10:43:12
નાના ચિલોડાથી મળ્યાં હથિયારો, અમદાવાદમાંથી પકડાયેલા ISISના 4 આતંકીઓ પાસેથી મળી છે આ વસ્તુઓ- Gujarat Post | 2024-05-20 23:03:14
લોકસભા ચૂંટણીઃ પાંચમા તબક્કામાં પણ સુસ્ત મતદાન, સરેરાશ 57 ટકા વોટિંગ- Gujarat Post | 2024-05-20 22:58:23
એક જ ગામમાં મોતનો માતમ...પીકઅપ ઉંધી વળી જતાં 18 મહિલાઓ, 1 પુરુષનું મોત | 2024-05-20 22:56:17
દેશમાં ચૂંટણીના માહોલ વચ્ચે જ 4 આતંકીઓ ઝડપાયા, અમદાવાદ એરપોર્ટ પરથી ISIS ના આતંકવાદીઓની ધરપકડ | 2024-05-20 14:53:44
ગુજરાતમાં ઉગ્ર બની રહ્યો છે સ્માર્ટ મીટરનો વિરોધ, ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કરી આ માંગ- Gujarat Post | 2024-05-20 09:20:35
ગુજરાતમાં ચૂંટણી પુરી થતા જ સ્માર્ટ મીટરને લઇને લોકોમાં આક્રોશ, શક્તિસિંહે કહ્યું અદાણીને ફાયદો કરાવવાનું ષડયંત્ર | 2024-05-19 18:52:04
સી.આર.પાટીલને બીજી વખત જડબાતોડ જવાબ..દિલીપ સંઘાણીએ કહ્યું ઇલુ ઇલુથી નથી સહકારથી ચાલે છે સહકારી સંસ્થાઓ | 2024-05-14 22:02:31
સી.આર.પાટીલ વિરુદ્ધ સૌરાષ્ટ્રમાં મોરચો તૈયાર થઇ રહ્યો છે ! સંઘાણીના કાર્યક્રમમાં ફળદુએ કહ્યું રાદડિયાએ તો વટ પાડી દીધો | 2024-05-13 13:22:29
મોટા સમાચારઃ પી ટી જાડેજાએ ક્ષત્રિય સંકલન સમિતિમાંથી રાજીનામું આપવાની વાત કરીને ફેરવી તોડ્યું- Gujarat Post | 2024-05-12 09:31:19
સી.આર.પાટીલની મેન્ડેટની વાતો દિલીપ સંઘાણીએ વખોડી કાઢી, કહ્યું હું કોઇનાથી ડરતો નથી, વિકાસની રાજનીતિમાં માનું છું | 2024-05-11 20:06:49