Mon,29 April 2024,6:32 am
Print
header

મોરબીમાં દલિત યુવકને માર મારવાના કેસમાં વિભૂતિ ઉર્ફે રાણીબા સામે રોષ, જીગ્નેશ મેવાણીએ આપી પ્રતિક્રિયા

મોરબીઃ દલિત યુવકને માર મારવાના કેસમાં મોટો હોબાળો થયો છે.પોલીસને આપેલી ફરિયાદમાં પીડિતે જણાવ્યું છે કે જ્યારે તેને 15 દિવસનો બાકી પગાર માંગ્યો ત્યારે કંપનીના માલિક અને 11 લોકોએ તેને માર માર્યો હતો. તેઓએ તેના મોઢામાં ચપ્પલ મુકીને તેને માફી માંગવા દબાણ કર્યું હતું. આ મામલે મોરબી પોલીસ આરોપીઓના ઘરે પહોંચી હતી.ત્રણ ટીમો આરોપીઓને શોધી રહી છે.મોરબી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ આ ફરિયાદ નોંધવામાં આવી છે.

મોરબીના દલિત યુવક નિલેશે ઓનલાઈન એફઆઈઆર નોંધાવી હતી. જેમાં તે રાણીબા ઇન્ડસ્ટ્રીઝના એક્સપોર્ટ વિભાગમાં નોકરી કરતો હતો. તેને 2 ઓક્ટોબરે નોકરી પર રાખવામાં આવ્યો હતો. અને 18 ઓક્ટોબરના રોજ કાઢી મુકવામાં આવ્યો હતો. કંપની દર 5મીએ તમામ કર્મચારીઓને પગાર ચૂકવે છે. તેણે પગારની રાહ જોઈ હતી. પગાર ન મળતા 6 નવેમ્બરે તેને કંપનીના માલિક વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાને ફોન કરીને પગાર માંગ્યો હતો.

તું કેમ માટે મારી બહેનને ફોન કરીને હેરાન કરે છે ?

ફોન કરનાર પીડિતને વિભૂતિ પટેલ કહ્યું હતું કે તે જાણીને પછી જણાવશે. તે પછી કંપની તરફથી કોઈ વાતચીત થઈ ન હતી. બાદમાં વિભૂતિ પટેલના ભાઇ ઓમ પટેલે પીડિતને ફોન કરીને ધમકી આપી હતી, કહ્યું હતું કે તું મારી બહેનને ફોન કરીને કેમ હેરાન કરે છે. તેમજ પગાર આપવામાં આવશે નહી. હવેથી ફોન કરતો નહીં.

રાત્રે 8:30 વાગ્યે ઓમ તેના કેટલાક લોકો સાથે પહોંચ્યો હતો

ગઈકાલે પીડિત તેના ભાઈઓ સાથે રાણીબા ઈન્ડસ્ટ્રીઝની ઓફિસે પહોંચ્યો હતો. ત્યાંથી તેને ઓમ પટેલને ફોન કરીને કહ્યું કે હું થોડીવારમાં ત્યાં આવી રહ્યો છું. રાત્રે 8:30 વાગ્યે ઓમ તેના કેટલાક લોકો સાથે ત્યાં પહોંચ્યો અને બોલાચાલી બાદ તેને થપ્પડ મારી હતી. કંપનીના મેનેજર પરીક્ષિત અને કંપનીના અન્ય 6 લોકોએ મળીને તેને લિફ્ટમાં ખેંચીને માર માર્યો હોવાના આરોપ છે.

જાતિ આધારિત ટિપ્પણી કરી, માફી માંગતો વીડિયો બનાવ્યો

થપ્પડ મારવાની સાથે જાતિ આધારિત ટીપ્પણી કરી હોવાના આરોપ છે અને માફી માંગતો વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં પીડિત અને તેના મિત્રએ કંપની પાસે ખંડણી માંગી હોવાનું કહેવાની ફરજ પડાઇ હતી. આ પછી વિભૂતિ, ઓમ અને રાજ પટેલે મળીને તેને બેલ્ટ વડે માર માર્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

એટ્રોસિટી મુદ્દે જીગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા

જીગ્નેશ મેવાણીએ જણાવ્યું છે કે ગુજરાતમાં દલિતો પર અત્યાચારો થઈ રહ્યાં છે. એટ્રોસીટીમાં ઝડપથી સજા ન થવાને કારણે આવી ઘટનાઓ બને છે. તેમણે આ ઘટનાને નીમ્ન સ્તરની ગણાવી છે, તેમજ આરોપીઓને સજા કરવામાં આવે તેવી માંગ કરી છે. ગુજરાતમાં આવા કિસ્સાઓમાં સજાનો દર માત્ર 5 ટકા જ છે. જેના કારણે જાતિવાદી તત્વોમાં એવો મેસેજ ગયો છે કે, દલિતોના આત્મસન્માન સાથે ચેડા કરો તેમજ બાઈક પર જય ભીમ લખાવે અને મૂછો રાખે તો તેમના પર હુમલા કરો. ત્યારે મેવાણીએ સરકાર સામે માંગ કરી છે કે આવા કિસ્સાઓ અટકાવવા માટે કોઇ યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch