રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં AIIMS હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. છેલ્લા 2 વર્ષથી એઈમ્સ હોસ્પિટલમાં 50 બેડની સુવિધા સાથે OPD બાદ હવે એઈમ્સમાં 250 બેડનો IPD વિભાગ બનીને તૈયાર છે. જેનું PM મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. IPD વિભાગમાં 250 બેડની સુવિધા સાથે 25 બેડ ICU વાળા રાખવામાં આવ્યાં છે. જેમાં 190 ડોક્ટર્સ અને 318 નર્સિંગ સ્ટાફ્સ દર્દીઓની સેવા અને સારવારમાં તૈનાત રહેશે. IPD વિભાગમાં 4 ઓપરેશન થિયેટર તૈયાર થતા તેનો પણ ઉપયોગ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત તેમજ દેશના વિકાસને વેગ આપતા વિવિધ વિભાગો-મંત્રાલયોના કુલ મળીને રૂ. 48 હજાર કરોડથી વધુના વિકાસના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરીને લોકોને ભેટ આપી છે.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi greets the people in Rajkot as he arrives at a public event where he will inaugurate and launch several development projects. pic.twitter.com/J7rWaKFuIT
— ANI (@ANI) February 25, 2024
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi inaugurates, dedicates to the nation, and lays the foundation stone of multiple development projects worth more than Rs 48,100 crore, in Rajkot. pic.twitter.com/8gN0BMN1Li
— ANI (@ANI) February 25, 2024
વડાપ્રધાન મોદીએ રાજકોટ સિવાય પંજાબના ભટિંડા, ઉત્તર પ્રદેશના રાયબરેલી, પશ્ચિમ બંગાળના કલ્યાણી અને આંધ્રપ્રદેશના મંગલગિરીમાં બનેલી નવી AIIMS રાષ્ટ્રને સમર્પિત કરી છે. રાજકોટમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂંંટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું નિરીક્ષણ કર્યું હતું.
પીએમ મોદીએ કહ્યું કે આજે મને એરપોર્ટથી લઈને આ કાર્યક્રમમાં ઘણા લોકોને જોવાનું સૌભાગ્ય મળ્યું. વર્ષો પછી જૂના મિત્રોના ચહેરા જોવાનો મોકો મળ્યો. મેં બધાને શુભેચ્છા પાઠવી, મને સારું પણ લાગ્યું. આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું ભાજપના રાજકોટના સાથીઓનો આભાર માનું છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિકસિત ભારતમાં આરોગ્ય સુવિધાઓનું સ્તર કેવું હશે. તેની ઝલક આજે આપણે રાજકોટમાં જોઈ રહ્યાં છીએ. આઝાદીના 50 વર્ષ સુધી દેશમાં માત્ર એક જ AIIMS હતી. તે પણ દિલ્હીમાં. આઝાદીના સાત દાયકામાં માત્ર 7 એઈમ્સને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તે પણ ક્યારેય પૂર્ણ થઈ ન હતી. પણ અમારી સરકારે આ કામ કરી બતાવ્યું છે. સાથે જ મોદીએ વર્ષો સુધી કંઇ કામ ન કરનારી કોંગ્રેસ સરકારની ઝાટકણી કાઢી નાખી છે.
Gujarat | At a public event in Rajkot, Prime Minister Narendra Modi says, "Today we are seeing a glimpse in Rajkot of what the level of health facilities will be like in developed India. For 50 years of independence, there was only one AIIMS in the country, and that too in Delhi.… pic.twitter.com/HSwsxRE9O3
— ANI (@ANI) February 25, 2024
મોદીએ કહ્યું કે ભારતે કોરોનાને કેવી રીતે હરાવ્યો તેની ચર્ચા આખી દુનિયામાં થઇ છે, અમે આ એટલા માટે કરી શક્યાં કારણ કે છેલ્લા 10 વર્ષમાં ભારતની આરોગ્ય પ્રણાલી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. છેલ્લા દાયકામાં એઈમ્સ અને મેડિકલ કોલેજોનો વિસ્તાર થયો છે. નાના રોગો માટે અમે દરેક ગામમાં 1.5 લાખથી વધુ આયુષ્માન આરોગ્ય મંદિરો બનાવ્યાં છે. આજે દેશભરમાં 706 મેડિકલ કોલેજો છે.
જન ઔષધિ કેન્દ્રમાં 80 ટકા ડિસ્કાઉન્ટવાળી દવાઓને કારણે ગરીબ અને મધ્યમ વર્ગને ફાયદો થયો છે. અમે મધ્યમ વર્ગ પરનો બોજ ઓછો કર્યો છે. લોકોને ઉજ્જવલા યોજનાનો લાભ મળ્યો છે. અમારી સરકારમાં કરદાતાઓને પણ લાભો મળ્યાં છે. અમે વીજળીના બિલને ઘટાડવા માટે કામ કરી રહ્યાં છીએ. અમે વીજળીથી કમાણીનું કામ પણ કરી રહ્યાં છીએ. સૂર્ય અને પવન ઊર્જાના મોટા પ્લાન્ટ્સ પણ સ્થાપવામાં આવી રહ્યાં છે. આજે મેં કચ્છમાં પણ આવા પ્લાન્ટનું ઉદ્ઘઘાટન કર્યું છે.
અત્યાર સુધીમાં 13 હજાર કરોડ રૂપિયાની પીએમ વિશ્વકર્મા યોજનામાં લાખો લોકો જોડાયા છે. આ તેમને તેમના વ્યવસાય અને કૌશલ્યો વધારવામાં મદદ કરે છે. આ યોજનાની મદદથી ગુજરાતમાં 20 હજારથી વધુ લોકોને તાલીમ આપવામાં આવી છે. અમારી યોજનાઓનો લાભ લોકોને મળ્યો છે. અમે લોકોનું સન્માન કરીએ છીએ. જ્યારે અમારા ભાગીદારો સશક્ત થાય છે, ત્યારે વિકસિત ભારતનું મિશન સશક્ત બને છે. જ્યારે મોદી ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની બાંયધરી આપે છે, ત્યારે તેમનું લક્ષ્ય સૌનું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ છે.આજે દેશને જે પ્રોજેક્ટ મળ્યાં છે તે આપણા સંકલ્પને પૂર્ણ કરશે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજા-મહારાજાઓને અત્યાચારી કહેનારા રાહુલ ગાંધી સામે રોષ, હવે મોદીએ કહ્યું શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી | 2024-04-28 17:05:00
ઘણા સમયથી કમલમમાં પણ નથી દેખાતા તેવા ભાજપના પ્રદિપસિંહ વાઘેલા રૂપાલા વિવાદમાં કૂદી પડ્યાં, લખ્યો આ પત્ર- Gujarat Post | 2024-04-28 16:30:24
Breaking News- અંદાજે રૂ.600 કરોડનું 90 કિલો ડ્રગ્સ ગુજરાતના દરિયામાંથી ઝડપાયું, આટલા પાકિસ્તાનીઓની ધરપકડ | 2024-04-28 16:10:38
ATS-NCB ના દરોડામાં નવું અપડેટ, આટલા કરોડ રૂપિયાનો જથ્થો જપ્ત | 2024-04-28 12:39:48
રૂપાલાની ટિપ્પણીનો વિવાદ વડોદરા પહોંચ્યો, પાદરામાં જશુભાઈ રાઠવાને ક્ષત્રિયોએ ગામમાં પણ ન ઘૂસવા દીધા | 2024-04-28 12:24:30
Gujarat Weather: આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા ! કાળઝાળ ગરમીમાંથી મળશે રાહત | 2024-04-28 08:34:00
રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધને લઈ રૂપાલાએ કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો- Gujarat Post | 2024-04-27 14:52:55
ચપટી વગાડતા યુદ્ધ રોકાવનારાઓ ચપટી વગાડીને મોંઘવારી ઘટાડેઃ ધરમપુરમાં પ્રિયંકા ગાંધીનો કટાક્ષ | 2024-04-27 14:50:47
રૂપાલાની ક્ષત્રિય સમાજને અપીલ, મહેરબાની કરીને પીએમ મોદીનો વિરોધ ન કરો | 2024-04-26 22:11:35
રાજકોટમાં 48 કલાકમાં 4 લોકોના હાર્ટએટેકથી મોત, લોકોમાં ફફડાટ- Gujarat Post | 2024-04-24 16:48:12
ભાજપ સામે મોરચો...ક્ષત્રિય આંદોલનના પાર્ટ- 2 ની શરૂઆત થશે. આ છે રણનીતિ | 2024-04-23 17:58:17
વધુ એક હાર્ટએટેક...રાજકોટમાં શેરીમાં ક્રિકેટ રમતો 13 વર્ષીય કિશોર અચાનક ઢળી પડ્યો | 2024-04-20 11:46:15