Sun,28 April 2024,8:02 pm
Print
header

સરદાર પટેલની ભવ્ય પ્રતિમા બાદ હવે મોદી બનાવશે ગાંધીજીનો ભવ્ય સાબરમતી આશ્રમ, જાણો રૂ.1200 કરોડના પ્રોજેક્ટમાં શું કામ થશે ?

અમદાવાદઃ સ્ટેચ્યૂં ઓફ યુનિટી બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં મહાત્મા ગાંધીનો ભવ્ય સાબરમતી આશ્રમ બનાવશે. આજે પીએમ મોદી આશ્રમનું ભૂમિપૂજન કર્યું છે. રૂ. 1,200 કરોડના બજેટ સાથેનો આ પ્રોજેક્ટ ભવિષ્યની પેઢીઓ માટે મહાત્મા ગાંધીના ઉપદેશોને પુનર્જીવિત કરવાનો છે.

માસ્ટર પ્લાન હેઠળ આશ્રમના 5 એકર વિસ્તારને વધારીને 55 એકર કરવામાં આવશે. આ આશ્રમની સ્થાપના મહાત્મા ગાંધી દ્વારા 1917માં અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે કરવામાં આવી હતી. હાલની 36 ઈમારતોનું નવીનીકરણ પણ અહીં કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં 20 જૂની ઈમારતોનું સંરક્ષણ, 13 ઈમારતોનું પુનઃસ્થાપન અને 3 ઈમારતોના પુનઃવિકાસનો સમાવેશ થાય છે.

ઘણી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવશે

માસ્ટર પ્લાનમાં નવી ઇમારતો, ઓરિએન્ટેશન સેન્ટર જેવી સુવિધાઓ, 'ચરખા' સ્પિનિંગ પર ઇન્ટરેક્ટિવ વર્કશોપ, હેન્ડમેઇડ પેપર, કોટન વીવિંગ અને લેધર વર્ક અને જાહેર ઉપયોગિતાઓનો સમાવેશ થાય છે. આ ઇમારતોમાં મહાત્મા ગાંધીના જીવનના પાસાઓ તેમજ આશ્રમના વારસાને દર્શાવવા માટે ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો અને પ્રવૃત્તિઓ રાખવામાં આવશે.

આ આશ્રમ વૈશ્વિક ફલક પર હશે

આ પ્રોજેક્ટમાં મુલાકાતીઓને વિવિધ ભાષાઓમાં માર્ગદર્શન અપાશે. વિશ્વભરમાંથી લોકો ગાંધી આશ્રમની મુલાકાતે આવે છે, જેમને હવે પહેલા કરતા વધારે સુવિધાઓ મળશે. કોચરબ આશ્રમની પણ કાયપલટ કરાશે, જે 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યાં બાદ મહાત્મા ગાંધી દ્વારા સ્થપાયેલો પહેલો આશ્રમ હતો અને તેને સ્મારક અને પ્રવાસન સ્થળ તરીકે સાચવવામાં આવ્યો છે.

શું હશે ખાસ ?

- ગાંધીજીનું જીવન
- ભારતમાં અને વિદેશમાં કરવામાં આવેલ કામ
- દૈનિક દિનચર્યાઓ અને મહત્વપૂર્ણ ઘટનાઓ
- બાળકો અને યુવાનો સાથે સંલગ્ન વાતો

આશ્રમ વાર્તા

- 1930 પહેલા આશ્રમના અગ્રણી સહયોગીઓ અને મુલાકાતીઓ
- આશ્રમના અગ્રણી રહેવાસીઓ (1917-1951)
-  મહિલા નેતાઓની ગેલેરી
- ચરખા અને ખાદીનું ઉત્પાદન

ગાંધીજીનો વારસો

- સન્માન અને હસ્તપ્રતો
- ગાંધીજી દ્વારા સ્થાપિત સંસ્થા વિશે માહિતી
- ગાંધી સર્કિટ
- પોસ્ટલ વિભાગ સાથે વિનિમય
- જર્નલ અને મુખ્ય ટેક્સ્ટ

નવી ઈમારતોનો ઉપયોગ નીચે મુજબના રહેવા માટે કરવામાં આવશે

- વહીવટી સુવિધાઓ
- ઓફિસ
- સભાગૃહ
- મહેમાનોની સુવિધાઓ
- તાલીમ કેન્દ્ર

મુલાકાતીઓની સુવિધાઓ

- ઓરિએન્ટેશન અને અર્થઘટન કેન્દ્ર
- પેપર મેકિંગ, લેધર મેકિંગ, ગાંધીયન ઈતિહાસ, લેક્ચર્સ, સેમિનાર વગેરે પર ઇન્ટરેક્ટિવ વર્કશોપ
- અનુભવ કેન્દ્ર
- યાદગાર વસ્તુઓની દુકાનો
- કાફેટેરિયા

ઉપયોગિતા

- શૌચાલય સુવિધાઓ
- પીવાના પાણીની સુવિધા
- સુરક્ષા રૂમ
- પાર્કિંગ

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch