Sun,19 May 2024,3:26 am
Print
header

પાક વીમા અંગે કોંગ્રેસના સરકાર પર પ્રહાર, સહાયનો મેસેજ આવે છે પણ ખાતામાં રૂપિયા નથી આવતા- Gujarat Post

(પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કોંગ્રેસના નેતાઓ)

અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી

સરકાર પર તીખા પ્રહાર કર્યાં

અમદાવાદઃ પાક વીમા અંગે કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા. કોંગ્રેસ નેતાઓએ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યાં હતા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે કહ્યું, રાજીવ ગાંધીએ પાક વીમા યોજના લાગુ કરી હતી. મોદી પ્રધાનમંત્રી બન્યાં અને તેનું નામ બદલી નાખ્યું. નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ફસલ યોજના નામ કરી નાખ્યું, હું તેને પ્રધાનમંત્રી ફસાજા યોજના કહીશ. પ્રધાનમંત્રી મોદીએ આ યોજના ખાનગી કંપનીઓ અને બેંકોને સોંપીને બંનેને માલામાલ કરી દીધા છે.

પાલ આંબલીયાએ કહ્યું, પાક વીમામાં સરકારે હજારો કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે. છેલ્લા 4 વર્ષથી લડત ચાલે છે છતાં સરકાર આ બાબત દબાવે છે. રાજ્ય સરકારે પોતે ખેડૂતોને નુકશાન થયાનું જાહેર કરી પેકેજની જાહેરાત કરી હતી,ખાનગી કંપનીઓએ સરકારની આકારણીથી વિરૂદ્ધ ઝીરો નુકશાન ગણ્યું છે. સરકારની વીમા કંપનીઓએ મેસેજ કર્યાં પણ માહિતી ના આપી. ખેડૂતોને માત્ર સહાયનો મેસેજ આવે છે, ખાતામાં રૂપિયા આવતા નથી. 2019થી અત્યાર સુધીના પાક વીમાના નાણાં ખેડૂતોને મળતા નથી. કોંગ્રેસ આ મામલે ભૂપેન્દ્ર પટેલની સરકારને ઘેરી રહી છે. લાખો ખેડૂતો સાથે કંપનીઓ છેતરપિંડી કરી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch