Tue,14 May 2024,7:02 am
Print
header

ખેડાઃ નડીયાદ અને મહુધામાં શંકાસ્પદ રીતે 5 લોકોનાં મોત, કથિત લઠ્ઠાકાંડની શક્યતા

ખેડાઃ નડીયાદમાં પાંચ લોકોનાં શંકાસ્પદ મોત થયા છે.નડિયાદના બીલોદરા ગામે બે દિવસમાં 3 લોકોના શંકાસ્પદ મોત થયા છે, જયારે મહુધા તાલુકાના બગડુ ગામે 2 લોકોનાં મોત થતા વહીવટી તંત્ર દોડતું થયું છે. અહીં લઠ્ઠાકાંડની શક્યતા હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે.

એક મૃતકને માથામાં દુખાવો થયો હતો અને પરસેવો આવી ગયો હતો, ત્યારબાદ મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું હતું. તેને  નજીકની હોસ્પિટલમાં લઇ જતા ત્યાં હાજર ડોક્ટરે સિવિલ હોસ્પિટલમાં લઈ જવા જણાવ્યું હતું, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યાં હતો અન્ય મૃતકોમાં પણ આવા જ લક્ષણો જણાયા હતા. પાંચ લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ છે.

ઝેરી દારૂ પીવાથી આ લોકોના મોત થયાની ચર્ચાઓ થઇ રહી છે. પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે. મૃતક પરિવારજનો પોસ્ટમોર્ટમની માંગ કરી રહ્યાં છે. જેથી સમગ્ર હકીક્ત બહાર આવી શકે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch